'મેં આજે નાછૂટકે મરવાનો નિર્ણય લીધો છે, દોઢ વર્ષથી જિંદગી ખરાબ કરી નાંખી',  ઝેરી દવા પી સુરતના બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ

  • March 03, 2023 10:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતમાં દિવસે ને દિવસે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારના બિલ્ડરે ઝેરી દવા ઓઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડર અશ્વીન છોડવડિયાએ આર્થિક સંકડામણના કારણે આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબીમાં ચકચાર મચી ગયો હતો. જોકે, આપઘાતનો પ્રયાસ કરતા પહેલા બિલ્ડરે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેઓએ રડતા રડતા સ્યૂસાઈડ નોટ અને કોલ રેકોર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે આ વીડિયોમાં પોલીસ સ્ટેશન અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ વીડિયોને તેમણે તેમના નજીકના સંબંધીઓને મોકલ્યો હતો.


એ વિડીયોમાં  તેઓ રડતાં કેહતા હતાં કે 'જય સ્વામિનારાયણ, મેં આજે નાછૂટકે મરવાનો નિર્ણય લીધો છે. દવા પી જાઉં છું. એક નોટ પણ લખી છે, બધા કોલ રેકોર્ડિંગ ઓફિસમાં ચિંતન પાસે છે. કલેક્ટ કરી લેજો. ગુનેગારોને સજા અપાવવામાં અને મારા પરિવારને મદદ કરવામાં મદદ કરજો. આ વીડિયો પોલીસ સ્ટેશન અને ગૃહમંત્રી સુધી પહોંચાડજો. જોજો ગુનેગારો એકય છટકે નહીં.' 

તેઓએ એમ પણ કહ્યું હતું કે 'આ બધાએ ભેગા મળીને દોઢ વર્ષથી મારી જિંદગી ખરાબ કરી નાખી છે, બસ મારું આટલું કામ કરજો કે આ લોકોને સજા થાય.  મારા પરિવારનું ધ્યાન રાખજો. કેટલાય દિવસથી હું આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ મારી પત્ની મને એકલો મૂકતી જ નહોતી. આજે હું નીકળી ગયો છું.' 
​​​​​​​

આ આ બિલ્ડર વ્યક્તિની તેઓની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બિલ્ડરે અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ કરતા અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application