સાવરકુંડલાના ખડકાળા ગામે પતિએ ખૂની ખેલ ખેલી પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે, રાત્રીના સમયે વિફરેલા પતિએ પત્નીને બેરહેમી પૂર્વક કોશના સાત જેટલા ઘા પેટ સહિતના ભાગે મારતા પત્નીનું મોત નીપયું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિણીતાના મૃતદેહને પીએમ માટે ખસેડી હત્યા કરી ફરાર પતિની શોધખોળ હાથ ધરી છે.
હત્યાના બનાવની મળતી વિગત મુજબ મૂળ લીલીયાના પુંજાવદર ગામના પરેશ ઉર્ફે કાના દિનેશભાઇ નિમાવત પત્ની આશાબેન અને ત્રણ સંતાનો સાથે ખડકાળા ગામે પટેલ સમાજની વાડીમાં રહી રસોડાનું કામ કરતા હતા. મંગળવારની રાત્રીએ પરેશએ પત્ની આશાબેન સાથે ઝગડો કરતા ઉશ્કેરાટમાં આવી જઈ મમાં પડેલી કોશથી આડેધડ ઘા મારતા પેટ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પત્ની આશાબેન (ઉ.વ.૩૨) નું ઘટના સ્થળે જ મોત નીપયું હતું. પત્નીની હત્યા નિપજાવી પતિ વહેલી સવારે ત્રણેય સંતાનોને લઇ પુંજા પાદર ગામે મોટાભાઈને ઘરે ગયો હતો અને ત્યાં ભાભીને તત્રણેય સંતાનો રાખવાનું કહી હત્પં હમણાં આશાને લઈને આવું છું કહી પોતાનો અને પત્નીનો મોબાઈલ પણ આપી દઈ ત્યાંથી નીકળી ગયો હતો. સવારે સમાજવાડીમાં ગ્રામજન જતા ઘટનાની જાણ થઇ હતી અને તાકીદે પોલીસમાં ફોન કરતા સાવરકુંડલા રલ પોલીસ ઘટના સ્થળે પહોંચી મમાં જોતા મહિલાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલએ ખસેડી પંચરોજ કામ કરી કાર્યવાહી કરી હતી.બનાવના પગલે લાઠીના અકાળા ગામે રહેતા મૃતકના પિતા મુકેશભાઇ પ્રભુદાસ નિમાવત (ઉવ.૫૭)ની ફરિયાદના આધારે જમાઈ પરેશ નિમાવત સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ત્રણ સંતાનો માતા–પિતા વિહોણા બનતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. દંપતી વચ્ચે ગૃહ કલેશના કારણે હત્યા થયાનું પ્રાથમિક વિગતો સામે આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅલંગ આવી રહેલી બંધ ટગે દુબઇથી ૩૦૦ માઇલ દૂર લીધી જળ સમાધી
June 05, 2025 04:47 PMયુવાન સાથે કુંવારી તરીકે પરણ્યા બાદ યુવતીએ કહ્યું ’મારે બે સંતાનો છે’
June 05, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech