રઝાનગર ખાતે વાએઝમાં ઉમટતા સેંકડો લોકો

  • July 20, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહોર્રમ નિમિતે વાએઝ: તાજીયા તૈયાર....
મહોર્રમ માસની આજે પહેલી તારીખ છે, માતમનું પર્વ શ‚ થઇ ગયું છે, ગઇ રાતથી જ રતનબાઇ મસ્જીદ, રઝાનગર સહિતના સ્થળોએ આલીમો દ્વારા શહીદોની શાનમાં વાએઝ શ‚ થઇ ગયા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે, તો બીજી તરફ ચાંદીના તાજીયા સહિતના અન્ય તાજીયાઓને પણ અંતિમ ટચ આપવામાં આવી રહ્યો છે.

**
મુફતી હમ્માદરઝા અને સૈયદ ફૈઝાન મીયા દ્વારા જુદા જુદા સ્થળે સતત ૧૦ દિવસ તકરીર

આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા હીજરીસન ૬૧ મા મોહર્રમની દસમી તારીખે સિરિયાના સરમુખ્તાર મઝીદના જુલ્મી શાસન સામે, ઈસ્લામના મહાન પયગંમ્બરના મહાન દોહિત્ર હઝરત ઈમામ હુશેને પોતાના કુંટુંબીજનો સહીત ૭ર વફાદાર સાથીઓ સાથે માતૃ સત્યની હિફાજત ખાતર કરબલાના મેદાનમાં જે મહાન કુરબાની આપી તેને ઈસ્લામી જગત આજેય ભુલી શકયો નથી.
કરબલાના મહાન શહીદોની યાદમાં પ્રતિ વર્ષ શહેર અને જિલ્લાભરમાં મોહર્રમની ચાંદ રાતથી લઈને દશ દિવસ સુધી જુદી-જુદી મુસ્લિમ જમાતો અને કમિટિઓ દ્વારા દાસ્તાને કરબલાના નેજા હેઠળ વાએઝ શરીફના મુબારક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં મુખ્યત્વે શહેરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ શંકર ટેકરી, રઝાનગરના હુશેની ચોકમાં અને રતનબાઈ મસ્જીદ પાસે હુશેની વાએઝ કમિટિ દ્વારા શહાદતના બ્યાનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. રઝાનગર સુન્ની મુસ્લિમ જમાત અને હુશેની વાએઝ કમિટિના સંયુકત પ્રયાસો દ્વારા યોજાયેલા આ અજીમુર્શાન ઈજલાસમાં દેશમાં ખ્યાતી ધરાવતા ભારત મહાન અને વિદ્વાન આલીમ હઝરત મૌલાના મુફતી હમ્મદ રઝા સાહેબ તેમજ રતનબાઈ મસ્જીદ પાસે સૈયદ ઈમાન અફરોઝ બ્યાન ફરમાવશે.
જામનગર શહેરના જુદી જુદી મસ્જીદોના ઈમામ આલીમો હુશેની વાએઝ કમિટીના સભ્યો રઝાનગર સુન્ની મુસ્લિમ જમાત સહિતના આગેવાનો તેમનું ભાવભર્યું સ્વાગત કરશે. રઝાનગર અને રતનબાઈ મસ્જીદ વિસ્તારને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે. જ્યારે રઝાનગરમાં શ્રોતાઓ માટે લેવા-મુકવા માટે વાહનની સગવડ રાખેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application