પોલીસ ટુકડીએ ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને કુવામાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું
જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસે આવેલા એક કૂવામાં માનવ મૃતદેહ તરી રહ્યા છે, તેવી માહિતી પોલીસને મળી હતી. જેથી પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયાએ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ને જાણ કરી હતી. જેથી ફાયર શાખાના કર્મચારીની ટુકડીએ બનાવના સ્થળે પહોંચી જઇ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.
મૃતકનું નામ કિશોરભાઈ કરશનભાઈ મસુરીયા (ઉંમર વર્ષ ૫૨) અને હાપા વિસ્તારમાં રહેતા હોવાનું તેમજ મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સચિન કિશોરભાઈએ બનાવના સ્થળે આવીને પોતાના પિતાના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક પ્રૌઢ છૂટક મજૂરી કામ કરતા હોવાનું અને દારૂ પીવાની આદત ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMદ્વારકા જિલ્લાના ખેડુતો-કોન્ટ્રાકટરોને મજુરો મોકલવાનો જાસો આપી ઓનલાઇન ઠગાઇ
April 23, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech