સાવરકુંડલામાં મકાનમાં આગ લાગી, એકનું મોત

  • April 05, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલાના નેસડી રોડ પર પાણીના ટાંકા પાસે આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. ભાડાના મકાનમાં રહેતા ૫૬ વર્ષીય ઇન્દ્રજીતસિંહ દલપતસિંહ રાઠોડનું દુ:ખદ અવસાન થયું હતું. ઇન્દ્રજીતસિંહ રાઠોડ ભુંગળા વેફરનો ધંધો કરતા હતા.
સાવરકુંડલા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ભાવેશભાઈ કવા, કિશોરભાઈ બુહા અને ભુપતભાઈ પાનસુરીયા આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર ટીમના સુપરવાઇઝર જયરાજભાઈ ખુમાણ અને તેમની ટીમે ગણતરીના મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી સાવરકુંડલા નગરપાલિકા હોદ્દેદારો અને ફાયર ટીમે ભારે જહમત બાદ આગ પર ઝડપથી કાબુ મેળવી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application