ફાયર ઓફિસર કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન

  • April 24, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકાર દ્વારા ૧૯૪૪માં મુંબઈ ડોકયાર્ડ ખાતે લાગેલી આગ બુજાવા જતા શહીદ થયેલ ફાયર વિભાગના ૬૬ લોકોના માનમાં સરકાર એપ્રિલ મહિનામાં ૨૦ તારીખથી નેશનલ ફાયર સેફટી વીક તરીકે ઉજવે છે આ વીકની ઉજવણીના ભાગરૂપે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ફાયર બ્રિગેટના કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માનના ભાગરૂપે ટીમ મોદી સપોર્ટર સંઘ ઈશ્વરના દૂત તરીકે લોન્ચ કરેલ છે જેમાં ફાયર બ્રિગેડના જવાનો ઉપરાંત ખેડૂતો શિક્ષક તબિયત અને સફાઈ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
જામનગર મહાનગરપાલિકા ખાતે ફાયર સ્ટેશન ખાતે ફાયર શાખાના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. મનપા ફાયર ઓફિસર સી એસ પાડીયન સહિતના અધિકારીઓનું સન્માન કરાયું છે. આ પ્રસંગે ટીમ મોદી સપોર્ટર સંઘના પ્રદેશમાંથી કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ સોનગરા હસમુખ તથા જામનગર શહેર પ્રમુખ નારણભાઈ નકુમયુવા મોરચાના મહામંત્રી નિશિતભાઈ સોનગરા, જામનગર જિલ્લા મહામંત્રી દર્શનભાઈ ખાણદર જામનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ મિત્તલબેન બ્રરીજભાઈ કનખરા તથા તથા કાર્યકર્તાઓ અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application