દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં ગૃહ મંત્રાલયે કમિટી બનાવી, 30 દિવસમાં રજૂ કરશે રિપોર્ટ

  • July 29, 2024 09:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે (29 જુલાઈ), દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જવાથી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ માટે ગૃહ મંત્રાલયે એક સમિતિની રચના કરી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી.


નિવેદનમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે નવી દિલ્હીના પુરાને રાજીંદર નગરમાં કોચિંગ સેન્ટરમાં બનેલી કમનસીબ ઘટનાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. સમિતિ કારણોની તપાસ કરશે, જવાબદારી નક્કી કરશે, પગલાં સૂચવશે અને નીતિમાં ફેરફારની ભલામણ કરશે. આ સમિતિમાં અધિક સચિવ, મુખ્ય સચિવ (ગૃહ), દિલ્હી સરકાર, સ્પેશિયલ સીપી, દિલ્હી પોલીસ, ફાયર એડવાઈઝર અને સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલય સંયોજક હશે. આ કમિટી 30 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપશે.


આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો

બીજી તરફ કોર્ટે સોમવારે આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોચિંગ સેન્ટરના ચાર સહ-માલિકો તજિંદર સિંહ, પરવિંદર સિંહ, હરવિંદર સિંહ અને સરબજીત સિંહ અને કાર ડ્રાઈવર મનુજ કથુરિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનોદ કુમારે તેને 12 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આરોપીઓની જામીન અરજી પર મંગળવારે સુનાવણી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application