કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પલોડામાં જનસભા સંબોધી હતી. આ દરમ્યાન રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું, 'રાહુલ ગાંધી કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. શું તેમની પાસે આવું કરવાની શક્તિ છે? મેં સંસદમાં કહ્યું છે કે ચૂંટણી પછી યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પરત કરવામાં આવશે.
અમિત શાહે જમ્મુમાં કહ્યું કે, 'કલમ-370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. હું મારા કાર્યકરોને કહેવા માંગુ છું કે વિરોધી ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તે સુનિશ્ચિત કરો. આ ચૂંટણી ઐતિહાસિક છે. પહેલીવાર જમ્મુ-કાશ્મીરના લોકો એક જ ઝંડાની છાયા નીચે મતદાન કરવા જઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કોઈ અલગ વડાપ્રધાન નહીં હોય.
'કોંગ્રેસ-NC પથ્થરબાજોને મુક્ત કરવા માંગે છે'
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, 'હું ઈચ્છું છું કે તમે બધા મતદાનના દિવસે સવારે 11.30 કલાક પહેલા મતદાન કરો. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરબાજોને છોડાવવા માંગે છે. તેઓ રાજૌરી અને પૂંચમાં આતંકવાદને ખીલવા દેવા માંગે છે. અમે બદમાશોને જેલમાં ધકેલી દીધા છે. તેઓ ઇચ્છે છે કે નિયંત્રણ રેખા પાર વેપાર ફરી શરૂ થાય. આનાથી કોને ફાયદો થશે? જ્યાં સુધી શાંતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ.
તેમણે આગળ કહ્યું, 'તેઓ શંકરાચાર્ય હિલનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન કરવા માંગે છે. શું તમે આને મંજૂરી આપવા માંગો છો? જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારોએ લૂંટ ચલાવી છે. તેઓ જમ્મુને તેના અધિકારોથી વંચિત રાખવા માંગે છે. તેઓ જમ્મુ-કાશ્મીર માટે સ્વાયત્તતા ઈચ્છે છે. હવે કોઈ શક્તિ જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાની વાત કરવાની હિંમત નહીં કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech