ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કશ્મીરમાં સભા સંબોધી, રાહુલ ગાંધીના નિવેદન પર કર્યો પ્રહાર

  • September 07, 2024 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પલોડામાં જનસભા સંબોધી હતી. આ દરમ્યાન રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું, 'રાહુલ ગાંધી કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. શું તેમની પાસે આવું કરવાની શક્તિ છે? મેં સંસદમાં કહ્યું છે કે ચૂંટણી પછી યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પરત કરવામાં આવશે.




અમિત શાહે જમ્મુમાં કહ્યું કે, 'કલમ-370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. હું મારા કાર્યકરોને કહેવા માંગુ છું કે વિરોધી ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તે સુનિશ્ચિત કરો. આ ચૂંટણી ઐતિહાસિક છે. પહેલીવાર જમ્મુ-કાશ્મીરના લોકો એક જ ઝંડાની છાયા નીચે મતદાન કરવા જઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કોઈ અલગ વડાપ્રધાન નહીં હોય.




'કોંગ્રેસ-NC પથ્થરબાજોને મુક્ત કરવા માંગે છે'




ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, 'હું ઈચ્છું છું કે તમે બધા મતદાનના દિવસે સવારે 11.30 કલાક પહેલા મતદાન કરો. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરબાજોને છોડાવવા માંગે છે. તેઓ રાજૌરી અને પૂંચમાં આતંકવાદને ખીલવા દેવા માંગે છે. અમે બદમાશોને જેલમાં ધકેલી દીધા છે. તેઓ ઇચ્છે છે કે નિયંત્રણ રેખા પાર વેપાર ફરી શરૂ થાય. આનાથી કોને ફાયદો થશે? જ્યાં સુધી શાંતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ.



તેમણે આગળ કહ્યું, 'તેઓ શંકરાચાર્ય હિલનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન કરવા માંગે છે. શું તમે આને મંજૂરી આપવા માંગો છો? જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારોએ લૂંટ ચલાવી છે. તેઓ જમ્મુને તેના અધિકારોથી વંચિત રાખવા માંગે છે. તેઓ જમ્મુ-કાશ્મીર માટે સ્વાયત્તતા ઈચ્છે છે. હવે કોઈ શક્તિ જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાની વાત કરવાની હિંમત નહીં કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application