તેને ‘ઐતિહાસિક સીમાચિહ્ન’ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે ભારત-યુકેએ દ્વિ યોગદાન કરાર સાથે મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરાર (એફટીએ) સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક કરારો આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. ઉપરાંત તે બંને દેશોની અર્થવ્યવસ્થામાં વેપાર, રોકાણ, વૃદ્ધિ, રોજગાર સર્જન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.
આ ‘ઐતિહાસિક’ વેપાર સોદો ચામડા, ફૂટવેર અને કપડાં જેવા શ્રમ-સઘન ઉત્પાદનોની નિકાસ પરના ટેરિફને દૂર કરશે, જ્યારે બ્રિટનમાંથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી થશે. આ કરાર સાથે 2030 સુધીમાં બંને અર્થતંત્રો વચ્ચેનો વેપાર બમણો થઈને 120 બિલિયન ડોલર થવાની ધારણા છે.
એકવાર એફટીએ લાગુ થઈ ગયા પછી યુકે બજારમાં 99 ટકા ભારતીય ઉત્પાદનો પર ડ્યુટી શૂન્ય થઈ જશે. જ્યારે ભારતીય કામદારોને યુકે ઇમિગ્રેશન સિસ્ટમમાં કોઈપણ ફેરફાર વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ભારતીય કાપડ, ફ્રોઝન પ્રોન, ઝવેરાત અને રત્નોની નિકાસ પર કર ઘટાડવામાં આવશે.
તેવી જ રીતે, બ્રિટનથી આવતા વ્હિસ્કી અને જિન જેવા દારૂના પ્રકારો પરની આયાત ડ્યુટી પણ ઘટાડવામાં આવશે. બંને પક્ષોના ક્વોટા હેઠળ વાહનોની આયાત પર ડ્યુટી 10 ટકા રહેશે. જેનો ફાયદો ટાટા-જેએલઆર જેવી ઓટોમોબાઈલ કંપનીઓને થશે. શૂન્ય ડ્યુટી પર યુકેમાં પ્રવેશતા ભારતીય ઉત્પાદનોમાં ખનિજો, રસાયણો, રત્નો અને ઝવેરાત, પ્લાસ્ટિક, રબર, લાકડું, કાગળ, કાપડ, કાચ, સિરામિક્સ, યાંત્રિક અને વિદ્યુત મશીનરી, શસ્ત્રો/દારૂગોળો, પરિવહન/વાહનો, ફર્નિચર, રમતગમતનો સામાન, પ્રાણી ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.
એફટીએ હેઠળ બંને દેશો વેપારી ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી દૂર કરે છે અથવા નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ ઉપરાંત, સેવાઓમાં વેપાર અને દ્વિપક્ષીય રોકાણને પ્રોત્સાહન આપવા માટેના ધોરણો પણ સરળ બનાવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 માં ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય વેપાર 21.34 અબજ ડોલરનો હતો. નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ 10 મહિનામાં, માલનો વેપાર 21.33 બિલિયન ડોલર રહ્યો હતો.
મુક્ત વેપાર કરાર હેઠળ ભારત ડેરી ઉત્પાદનો, સફરજન અને ચીઝ જેવી સંવેદનશીલ કૃષિ ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટીમાં બ્રિટનને કોઈ છૂટ આપશે નહીં. લગભગ 10 ટકા ડ્યુટી લાઇન સંવેદનશીલ વસ્તુઓની યાદીમાં છે. ડેરી ઉત્પાદનો, સફરજન, ચીઝ વગેરે જેવા કૃષિ ઉત્પાદનોને કોઈપણ ડ્યુટી છૂટમાંથી મુક્તિ આપવામાં આવી છે. આનાથી ભારતને તેના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં મદદ મળશે.
ગયા વર્ષે માર્ચમાં થયેલા ઈએફટીએ (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) વેપાર કરાર હેઠળ ભારતે ડેરી ક્ષેત્રમાં સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વેને કોઈ ડ્યુટી છૂટછાટ આપી નથી. ભારતના વિશાળ બજારને ધ્યાનમાં રાખીને બ્રિટન આ ઉત્પાદનો પર કેટલીક ડ્યુટી છૂટની અપેક્ષા રાખતું હતું. દેશમાં દૂધ અને દૂધના ઉત્પાદનો પર લગભગ 30 ટકા આયાત ડ્યુટી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMબેંગલુરૂમાં ભાગદોડ કેસમાં RCB વિરુદ્ધ FIR દાખલ, મોટો ખુલાસો- પરવાનગી વિના વિજય પરેડ યોજાઈ
June 05, 2025 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech