હિરલબા જાડેજાને મળ્યા શરતી જામીન:સાઇબર ક્રાઇમના ગુન્હામાં વધુ બે ઇસમો ઝડપાયા

  • May 27, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



‚પિયા ૭૦ લાખની લેતી દેતી પ્રશ્ર્ને ત્રણ લોકોને ગોંધીને માર મારવાના ગુન્હામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજાને શરતી જામીન મળ્યા છે પરંતુ બીજી બાજુ તેમના ઉપરાંત  પાંચ સાગરિતો સામે સાઇબર ક્રાઇમનો ગુન્હો નોંધાયો હતો તેથી એ ગુન્હામાં હજુ હિરલબા જેલ હવાલે છે પરંતુ પોલીસ દ્વારા કેટલીક મહત્વની વિગતો સમયસર જાહેર કરવામાં આવતી નથી તેથી પોલીસની અત્યાર સુધીની નિષ્ઠાની કામગીરી બાદ હવે વર્તમાન કામગીરી અંગે અનેક સવાલો ઉભા થયા છે અને પોલીસ આરોપીઓનું મોઢુ ખોલાવીને માહિતી બહાર લાવે તે પહેલા પોલીસે જ મોઢુ સીવી લીધુ હોવાની ચર્ચાએ  જોર પકડયુ છે.
૭૦ લાખના પ્રકરણમાં મળ્યા શરતી જામીન
હિરલબા જાડેજાના ૭૦ લાખના લેતીદેતી પ્રકરણમાં કુછડીના ત્રણ લોકોને ગોંધી રાખવાના નોંધાયેલા ગુન્હામાં હિરલબા જાડેજાના ગઇકાલે શરતી જામીન મંજૂર થયા હતા. કુછડીના ભનાભાઇ ઓડેદરા અને તેના પરિવારના સભ્યોનું અપહરણ કરી ધાકધમકી આપી માર મારી કોરા ચેકમાં સહી કરાવી દાગીના પડાવવાના ગુન્હામાં હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા તથા અજાણ્યા ચારથી પાંચ ઇસમો સામે ગુન્હો નોંધાયો હતો જેમાં  કોર્ટે તેમના સોમવારે શરતી જામીન મંજૂર કર્યા છે પરંતુ સાઇબર ક્રાઇમના ગુન્હા અંતર્ગત તેમનો જેલવાસ યથાવત છે.
સાઇબર ક્રાઇમના ગુન્હામાં બે આરોપીઓ ઝડપાયા
૭૦ લાખની લેતીદેતી પ્રશ્ર્ને અપહરણ અને સૂરજ પેલેસ બંગલે ગોંધી રાખવાના ગુન્હામાં  પોલીસે જ્યારે હિરલબા જાડેજાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે કેટલીક બેન્કના દસ્તાવેજો સહિત મિલ્કતોના દસ્તાવેજો મળી આવ્યા હતા અને બેન્ક એકાઉન્ટ વિષે તપાસ કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસમથકના  પી.એસ.આઇ. વી.આર. ચાવડાની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે કોટક મહિન્દ્રા બેન્કના ૧૪ જેટલા શંકાસ્પદ ખાતા પોરબંદરમાં હિરલબા સાથે સંકળાયેલા હોય તેવા લોકોના મળ્યા હતા જેમાં પાંચ જેટલા ખાતામાં સાઇબર ક્રાઇમના ગુન્હામાં છેતરપીંડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦ હજાર જેવી માતબર રકમ આ ખાતામાં ટ્રાન્સફર થઇ હતી અને ટૂંકા ગાળામાં ખુલેલા ૧૪ ખાતામાંથી ૧૦ ખાતાનું એડ્રેસ હિરલબા જાડેજાનું નિવાસસ્થાન હતુ. તેથી બેન્ક મેનેજરના નિવેદનબાદ પોલીસે હિરલબા સહિત છ શખ્શો સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. 
જેમાં હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઇવર રાજુ મેર તથા અન્ય તપાસમાં ખૂલે તે લોકોએ પૂર્વઆયોજિત કાવત‚ રચી ગરીબ લોકોની જાણ બહાર બેન્કમાં ખાતા ખોલાવી સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના ‚પિયા તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. 
કરોડો ‚પિયાના ટર્નઓવરવાળા આ ખાતામાં તપાસ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી અને પોલીસે આ ગુન્હામાં હિરલબા જાડેજાની ધરપકડ કરી હતી અને રીમાન્ડ બાદ તેઓ જેલહવાલે થયા છે. તો બીજી બાજુ પોલીસે ગઇકાલે મોડી સાંજે એવી વિગત જાહેર કરી છે કે હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા સાથે સાઇબર ક્રાઇમમાં મહત્વની ભૂમિકા ભજવનાર તરીકે વેસ્ટ મુંબઇ મલાડના સચિન કનકરાય મહેતાનું નામ ખૂલતા પોલીસે સાંજે તેની ધરપકડ કરી છે અને તે પહેલા અગાઉ શુક્રવારે અજય ચૌહાણ નામના ઇસમની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જે તે સમયે પોલીસે તેની કોઇ જ વિગત મીડિયા સમક્ષ જાહેર કરી ન હતી ત્યારે હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે અત્યાર સુધી કોઇની શેહશરમ રાખ્યા વગર નિષ્ઠાથી તમામ માહિતી પ્રેસ સુધી પહોંચાડનાર પોલીસ તંત્ર હવે કેમ સમયસર માહિતી જાહેર કરવામાં અખાડા કરી રહ્યુ છે એ મુદ્ો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application