ટીવી અભિનેત્રી હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ સમાચાર આપ્યા છે. હિનાએ એક પોસ્ટ લખીને કહ્યું છે કે તેની સારવાર શરૂ થઈ ગઈ છે અને તે સાજા થવા માટે જે પણ બની શકે તે કરશે. આ દરમિયાન તેણે ચાહકો પાસેથી સમર્થન માંગ્યું છે અને લોકોને પ્રાર્થના કરવા કહ્યું છે. ઈન્ડસ્ટ્રીના લોકોએ હિના ખાનના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
36 વર્ષની હિના ખાનને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે કે હાલમાં જ કેટલીક અફવાઓ ફેલાયા પછી હું આ મહત્વપૂર્ણ સમાચાર દરેક સાથે શેર કરવા માંગુ છું કે જેઓ મને પ્રેમ કરે છે અને કાળજી રાખે છે. મને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. આ પડકારજનક નિદાન હોવા છતાં હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું ઠીક છું. હું આ રોગનો સામનો કરવા માટે મજબૂત અને સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મેં મારી સારવાર શરૂ કરી દીધી છે અને આમાંથી વધુ મજબૂત થવા માટે બધું કરવા તૈયાર છું.
ચાહકોને વિનંતી
હિના આગળ લખે છે કે આ સમયે હું તમારા લોકો પાસેથી પ્રાઈવસી ઈચ્છું છું. હું તમારા પ્રેમ, હિંમત અને આશીર્વાદની કદર કરું છું. તમારા અંગત અનુભવો, વાર્તાઓ અને સહાયક સલાહ મારા માટે આ પ્રવાસમાં ખૂબ મહત્વની રહેશે.
સાજા થવાનો વિશ્વાસ
હું મારા પ્રિયજનો અને પરિવાર સાથે કેન્દ્રિત, નિશ્ચિત અને સકારાત્મક રહીશ. ભગવાનની કૃપાથી અમને બધાને ખાતરી છે કે હું આ પડકારને પાર કરીશ અને સંપૂર્ણ સ્વસ્થ થઇ જઈશ. કૃપા કરીને તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ મોકલતા રહેજો. હિનાએ પોતે આ વિશે બધાને સત્તાવાર રીતે જાણ કરી છે.
ઈન્ડસ્ટ્રીના સાથીઓએ સાજા થવા માટે કરી પ્રાર્થના
હિનાની પોસ્ટ પર ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની કોમેન્ટ્સ જોવા મળી રહી છે. અંકિતા લોખંડેએ લખ્યું છે કે હિના તું હંમેશા આનાથી વધુ મજબૂત રહી છે. આ પણ ઠીક થઇ જશે. તમારા માટે પ્રેમ, તમે મજબૂત બનો. રશ્મિ દેસાઈએ લખ્યું છે કે તમે હંમેશા મજબુત રહ્યા છો, હું તમારા માટે પ્રાર્થના કરી રહી છું. આશકા ગોરાડિયા, ગૌહર ખાન, શ્રદ્ધા આર્ય સહિત અનેક સેલિબ્રિટીઓએ હિના ખાનના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech