ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યા કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું, ’હસન નસરાલ્લાહ હવે દુનિયાને ડરાવી શકશે નહીં. આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ અને અન્ય કમાન્ડરો સહિત દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કાર્ચીને મારી નાખ્યા છે. નસરાલ્લાહ અને તેની પુત્રી ઝૈનબ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના મુખ્ય મથક પર ગઈકાલે ઇઝરાયેલના હવાઈ હુમલામાં માયર્િ ગયા હોવાનું માનવામાં આવે છે.
ડેનિયલ હગારીએ કહ્યું કે, ’ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ બાતમી બાદ, અમારા વાયુસેનાના ફાઈટર પ્લેન્સે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર ટાર્ગેટ એટેક કર્યો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે હિઝબુલ્લાહનું વરિષ્ઠ નેતૃત્વ તેના હેડક્વાર્ટરમાં ઇઝરાયેલના નાગરિકો સામે આતંકવાદી ગતિવિધિઓ ચલાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું હતું.
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહના 32 વર્ષના કાર્યકાળ દરમિયાન હિઝબુલ્લાના વડા તરીકે, તેઓ અસંખ્ય ઇઝરાયેલ નાગરિકો અને સૈનિકોની હત્યા અને હજારો આતંકવાદી કૃત્યોના આયોજન અને અમલ માટે જવાબદાર હતા. આઈડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહ વિશ્વભરમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર હતો જેમાં વિવિધ દેશોમાં નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી.
ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર, હસન નસરાલ્લાહના નેતૃત્વમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ સાથે મળીને 8 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું. આઇડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરથી, હિઝબુલ્લાએ ઇઝરાયેલી નાગરિકો પર વારંવાર અને બિનઉશ્કેરણીજનક હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે લેબનોન અને પ્રદેશમાં વ્યાપક તણાવ થયો છે. ઇઝરાયેલી સૈન્ય ઇઝરાયેલ અને તેના લોકો વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપ્નાર અથવા તેમાં ભાગ લેનાર કોઈપણ સામે તેની કાર્યવાહી ચાલુ રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech