ચોખંડાના અકસ્માતમાં મૃત્યુ પામેલા બેંકના સભાસદના વારસદારને વિમાનો ચેક અપાયો

  • December 25, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા સામતભાઈ વિક્રમભાઈ રાવલીયા નામના એક આસામી કે જેઓ ચોખંડા સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ હતા. અહીંની જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક દ્વારા ધિરાણ લેતા સભાસદ, ખેડૂતોનો વીમો લેવામાં આવે છે. જેનું પ્રીમિયમ બેંક ભરપાઈ કરે છે. થોડા સમય પૂર્વે ચોખંડા ગામના સામતભાઈ રાવલિયાનું અકસ્માતમાં નિધન થતાં તેમના વારસદાર પત્ની માલીબેન સામતભાઈ રાવલીયાને અહીંના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાની ઉપસ્થિતિમાં ક્લેમનો રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application