રાજ્યમાં અતિભારે વરસાદ, વર્તમાન ચોમાસામાં કુલ 61ના થયા મોત, 2000થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યું

  • July 24, 2024 07:32 PM 

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે 10 જુદી-જુદી નદીઓ ઓવરફ્લો થયાના સમાચાર સામે આવ્યા છે. 3 તળાવ પણ ઓવરફ્લો થયા છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 4238 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. 


2000થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યું

વિગત વાર વાત કરીએ તો વરસાદી પૂર કે પાણીમાં ફસાઈ ગયા હોય તેવા 535 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આજે 826 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોનુ રેસ્ક્યુ કરવામા આવ્યું છે. વર્તમાન ચોમાસામાં વીજળી પડવાથી, પાણીમાં ડુબી જવા સહિતના વિવિધ કારણોસર કુલ 61 લોકોના મોત થયા છે.


વડોદરાની તમામ શાળાઓ 25 જુલાઈએ બંધ રાખવા આદેશ

ભારે વરસાદના પગલે વડોદરા શહેરની તમામ શાળાઓ આવતી કાલ ગુરુવારને 25મી જુલાઈના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભારે  વરસાદના પગલે 25 જુલાઈના રોજ તમામ શાળા બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application