રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં ગત સાંજે મિની વાવાઝોડા સાથે માવઠું વરસતા શાકભાજીના પાકનો સોંથ વળી ગયો હતો, રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારે થયેલી હરાજીમાં રોજ કરતા માંડ અડધી આવક થઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજી વેંચવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે તોફાની પવન સાથે માવઠું વરસતા દૂધી, ગલકા, ચોળા, ચોળી, ઘીસોડા અને કારેલા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. છેલ્લા એક સાહથી હિટવેવને કારણે શાકભાજીમાં બગાડનું પ્રમાણ વધ્યું હતું ત્યાં મિની વાવાઝોડા જેવા તોફાની પવન સાથે માવઠું વરસતા શાકભાજીના પાકનો સોંથ વળી ગયો છે.
યારે રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઉનાળામાં આકરો તાપ વરસતા ગરમીને કારણે શાકભાજી વહેલું બગડી જતું હોય દરરોજ વહેલી સવારે હરરાજી કરવામાં આવી રહી છે આમ છતાં ગઇકાલે માવઠું વરસતા આજે શાકભાજીની આવક રિજિંદી આવકોની તુલનાએ માંડ અડધી આવક થઇ હતી. હાલ સ્થાનિક આવકો ઉપરાંત આંતર જિલ્લા અને આંતર રાય આવકો પણ થઇ રહી છે, સૌરાષ્ટ્ર્ર ઉપરાંત ગુજરાતમાં પણ માવઠું વરસતા ત્યાંથી થતી આવકો પણ ઘટી ગઇ છે. એકંદરે આવક ઘટતા તેમજ બગાડ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને હજુ ભાવ વધે તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech