ગઇકાલે રાત્રે જામનગરમાં વાતાવરણમાં પલ્ટો આવતાં ઠંઠો પવન ફુંકાયો: આગાહીને લીધે તંત્ર એલર્ટ
જામનગર સહિત સમગ્ર હાલારમાં આગામી પાંચ દિવસ સુધી ગમે ત્યારે ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી રાજયના હવામાન ખાતાએ કરી છે જેના કારણે તંત્ર એલર્ટ બની ગયું છે, ગઇકાલે રાત્રે જામનગરમાં વિજળીના ભારે કડાકા-ભડાકા થયા હતાં અને વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, પરંતુ માત્ર હળવા છાંટા પડયા હતાં અને વ્હેલી સવારે પણ રસ્તા ભીના થયા હતાં.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 27 ડીગ્રી, હવામાં ભેજ 92 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે અને કેટલાક સ્થળોએ ઝાપટા પડયા છે.
પાંચ દિવસ સુધી હાલારમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે બંને જિલ્લાના કલેકટરોને સાવચેત કરી દેવામાં આવ્યા છે, જો કે ગામડાઓમાં સારો વરસાદ છે, જામનગર સીટીમાં માત્ર ઝાપટાની લોકોને સંતોષ માનવો પડે છે ત્યારે આગામી દિવસોમાં મેઘરાજા કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું.
ગામડાઓમાં પણ ફરીથી બે દિવસમાં સારો વરસાદ થયો છે, 15 ડેમમાં નવા નીરની આવક થઇ છે જયારે અનેક ચેકડેમો ભરાઇ ચૂકયા છે ત્યારે પીવાના પાણીની સમસ્યા હાલ તો થોડા ઘણા અંશે ઉકેલાઇ ગઇ છે.
કાલાવડ, જામજોધપુર સહિતના કેટલાક વિસ્તારોમાં મગફળી અને કપાસનું વાવેતર શ થઇ ગયું છે, લગભગ 1.85 લાખ હેકટરમાં વાવેતર થયું છે ગયા વખતે 3.48 લાખ હેકટરમાં કપાસ, મગફળી સહિત અન્ય ચીજવસ્તુઓનું વાવેતર થયું છે અને કેટલાક ગામડાઓમાં 40 ટકા જેટલો વરસાદ ત્રણ દિવસમાં પડી ગયો છે.
દશેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને હવે ફરીથી બે દિવસથી ગામડાઓમાં જોરદાર વરસાદ શ થયો છે. ત્યારે ધરતીપુત્રો વાવણી કાર્યમાં લાગી ગયા છે, ખાસ કરીને હાલારના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, જયારે મગફળી ઉપરાંત શાકભાજી, તલ, એરંડા અને ઘાસચારાનું પણ વાવેતર ધીમે-ધીમે શ થઇ ચૂકયું છે, જામનગરમાં પણ વાદળો છવાતા રહેતા હોય છે, પરંતુ વરસાદ વરસતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે શોધ સમિતિની રચના
March 12, 2025 09:51 PMદક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ: 90% પુરવઠો પુનઃસ્થાપિત, રાત સુધીમાં સ્થિતિ સામાન્ય થશે
March 12, 2025 08:02 PMRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech