સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમી માટેનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આગામી દિવસોમાં પણ ગરમીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા નથી. ઊલટાનું ગરમીના પ્રમાણમાં વધારો થશે તેવી ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે.
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના બુલેટિનમાં જણાવ્યા મુજબ આગામી તારીખ 8 સુધી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હિટવેવ કન્ડિશન યથાવત રહેશે અને નોર્થ વેસ્ટ ના રાજ્યોમાં મહત્તમ તાપમાનનો પારો તારીખ 6 થી 8 દરમિયાન ચારથી છ ડિગ્રી જેટલો ઉચ્ચકાશે.
ગુજરાતમાં તારીખ 7 ના રોજ મતદાન છે અને તે દિવસે ગરમીનું પ્રમાણ અનેક જગ્યાએ 45 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા છે. હવામાન ખાતાના એલર્ટમાં જણાવ્યા મુજબ તારીખ 7 ના રોજ પોરબંદર ભાવનગર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની સરખામણીએ ગરમીનું પ્રમાણ વધારે હશે.
શુક્રવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 41.7 અમરેલીમાં 42 વડોદરામાં 40.8 ભુજમાં 40.6 ડીસામાં 40.8 ગાંધીનગરમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો આજે સતત ચોથા દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં 80% આસપાસ ભેજ નોંધાયો છે. દમણમાં 82 દ્વારકામાં 87 કંડલામાં 80 નલિયામાં 74 ઓખામાં 83 પોરબંદરમાં 85 અને વેરાવળમાં 78% ભેજ આજે સવારે નોંધાયો છે.સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અત્યારે સરેરાશ 40 થી 43 ડિગ્રી જેટલું તાપમાન છે. તેમાં જો ચાર થી છ ડિગ્રી વધારાની વાત કરીએ તો રાજ્યના અનેક શહેરોમાં 45 ડિગ્રી થી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાત જેવી જ સ્થિતિ દેશના અન્ય રાજ્યોમાં છે. બંગાળ તેલંગાણા કણર્ટિક આંધ્ર પ્રદેશ ઝારખંડ તામિલનાડુ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ હિટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત સહિત નોર્થ વેસ્ટ ના રાજ્યોમાં ત્રણ દિવસમાં ચારથી છ ડિગ્રી તાપમાન વધવાની ચેતવણી આપવામાં આવી છે તો મધ્ય ભારતમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારાની આગાહી કરવામાં આવી છે. ઈસ્ટના રાજ્યોમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ પછી ત્યાં ગરમી ઘટવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech