રાજકોટના કારખાનેદાર વૃધ્ધ પત્ની અને વેવાઈ-વેવાણ સાથે મહાકુંભમાં સ્નાન માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ નાથદ્વારામાં પટેલ સમાજ ભવનમાં રોકાયા હતા. અહીં કારખાનેદાર વૃદ્ધની તબિયત લથડી હતી અને હાર્ટ એટેકથી તેમનું મોત થયું હતું. અહીં હાજર રાજકોટના સેવાભાવી ગ્રુપે તુરંત તેમની મદદથી આવી એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરી વૃદ્ધના મૃતદેહને રાજકોટ પહોંચાડવા મદદરૂપ બન્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર નવનીત હોલ પાછળ જુના સુભાષ નગર શેરી નંબર છ માં રહેતા મૂળ દૂધીવર ગામના વતની પ્રવિણસિંહ નારૂભા પઢિયાર (ઉ.વ 64) નામના વૃધ્ધ નાથદ્વારામાં આવેલ લેઉવા પટેલ સમાજ ભવનમાં રોકાયા હતા દરમિયાન તેમની તબિયત લથડતા તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હોવાનું માલુમ પડ્યું હતું.
દરમિયાન અહીં રાજકોટના સેવાભાવી સંસ્થાના રાજુભાઈ ઝુંઝા, મચ્છાભાઈ ગોહેલ, ચનાભાઈ ગોહેલ, બાબુભાઈ ગોહિલ સહિતના હોય તુરંત તેમના પરિવારજનોની મદદથી આવી મૃતદેહને રાજકોટ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરી આપી હતી અને વૃદ્ધના મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ વૃદ્ધ પ્રવિણસિંહ પઢિયારને રાજકોટમાં કેશ ડાયલનું કારખાનું આવેલું છે. પ્રવિણસિંહ તેમના પત્ની વેવાઇ સિધ્ધરાજસિંહ,વેવાણ સહિત ચારેય મહા કુંભમાં સ્નાન માટે ગયા હતા ત્યારબાદ અહીંથી પરત ફરતી વેળાએ નાથદ્વારા દર્શને ગયા હતા અને અહીં લેઉવા પટેલ સમાજ ભવનમાં રોકાયા હતા. દરમિયાન હૃદય રોગના હુમલાથી વૃદ્ધનું મૃત્યુ થયું હતું. વૃદ્ધ પ્રવિણસિંહને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વૃદ્ધના મૃતદેહને રાજકોટ લવાયા બાદ આજરોજ સવારના તેમના નિવાસ્થાનેથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech