આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી, ડેન્ગ્યુ અને એનીમિયા રોગ અંગે જાણકારી તેમજ ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 અંતર્ગત ક્વિઝનું આયોજન કરાયું
જામનગર આરોગ્ય વિભાગ દ્વારા ધ્રોલ તાલુકાના વાંકિયા ખાતે આવેલ આર્યવ્રત સ્કુલમાં આરોગ્ય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ટીબી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગ વિષે માહિતી આપવામાં આવી હતી. ટ્યુબરક્યુલોસિસ (ટીબી) ગંભીર બીમારી છે જે કોઈપણને અસર કરી શકે છે. ટીબી બેક્ટેરિયાને કારણે થાય છે, ટીબી શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે પરંતુ મોટાભાગે ફેફસાંમાં થાય છે, જે પલ્મોનરી ટીબી કહેવાય છે. ટીબીના લક્ષણોમાં બે અઠવાડિયા થી કે વધુ સમયથી ઉધરસ , ભૂખ ન લાગવી, વજન ઘટવો, સાંજે જીણો તાવ કે પરસેવો વગેરે જેવા લક્ષણો વિષે માહિતી આપવામાં આવી હતી. એક્ટિવ ટીબી ધરાવતી પરંતુ સારવાર લીધી ન હોય તેવી વ્યક્તિ દર વર્ષે ૧૦ થી ૧૫ કે વધુ લોકોને ચેપ લગાડી શકે છે. ટીબીના તમામ દર્દીને જ્યાં સુધી દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણ યુક્ત આહાર માટે મહીને રૂ.૫૦૦ની સહાય આપવામાં આવે છે.
વાહકજન્ય રોગચાળા ડેન્ગ્યું રોગ તેમજ એનીમિયા એટલે લોહતત્વની કમી માટે પોષણ યુક્ત આહાર વિષે તેમજ, શાળાઓમાં દર બુધવારે લોહતત્વની ગોળી વિતરણ અને ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 અંગે માહિતી આપવામાં આવી હતી.
જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને જીલ્લા ક્ષય અધિકારી ડો.ધીરેન પીઠડીયાના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી ચિરાગ પરમાર અને ટીબી વિભાગના વિકુંદભાઈ રાઠોડ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આ માહિતી આપવામાં આવી હતી અને પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech