ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહના મોત બાદ ઈરાનમાં હલચલ મચી ગઈ હતી. આ ઘટના બાદ ઈરાન સંપૂર્ણ રીતે નર્વસ થઈ ગયું હતું અને તેણે 2 દિવસ પહેલા ઈઝરાયેલ પર 200 મિસાઈલ છોડી હતી. નસરાલ્લાહના મૃત્યુથી મધ્ય પૂર્વના અન્ય દેશોમાં આક્રોશ ફેલાયો હતો. બગદાદ સહિત ઈરાકના કેટલાક ભાગોમાં મોટા પાયે દેખાવો થયા હતા. જો કે હવે ઇરાકમાં 100 નવજાત બાળકોના નામ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના નામ પર રાખવામાં આવ્યા છે.
હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને ઘણા આરબ દેશોમાં ઇઝરાયેલ અને પશ્ચિમી પ્રભાવ સામે પ્રતિકારના પ્રતીક તરીકે જોવામાં આવતા હતા. આ કારણોસર ઇરાકી વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ હસન નસરાલ્લાહને 'ન્યાયના માર્ગ પર શહીદ' ગણાવ્યા હતા. આ અવસર પર તેમણે ઈઝરાયેલના હવાઈ હુમલામાં નસરાલ્લાહની હત્યાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું.
જ્યારે નસરાલ્લાહ બન્યા હતા હિઝબુલ્લાના વડા
નસરાલ્લાહે 1992થી આતંકવાદી જૂથના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જૂથના અગાઉના નેતા અબ્બાસ અલ-મુસાવી ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. તેમના નેતૃત્વ હેઠળ હિઝબુલ્લાહ લેબનોનમાં એક રાજકીય બળ તરીકે વિકસ્યું અને મધ્ય પૂર્વના ભૌગોલિક રાજકારણમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યું. જેમાં ઈરાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. હિઝબુલ્લાહે ઈરાક અને યમનમાં હમાસ, હુથી અને અન્ય સંગઠનોને ઈઝરાયેલ સામેના તેમના આક્રમણ વધારવા માટે તેની મિસાઈલો અને રોકેટ પણ પૂરા પાડ્યા હતા.
લેબનોનમાં ઇઝરાયેલનું જમીન પર આક્રમણ
નસરાલ્લાહ હવાઈ હુમલામાં માર્યા ગયા પછી ઇઝરાયેલે લેબનોનમાં મર્યાદિત જમીન આક્રમણ શરૂ કર્યું. લગભગ એક વર્ષ સુધી ચાલેલી લડાઈમાં 1,900 થી વધુ લોકો માર્યા ગયા છે અને 9,000 થી વધુ ઘાયલ થયા છે. લેબનીઝ સરકાર અનુસાર મોટાભાગના મૃત્યુ છેલ્લા બે અઠવાડિયામાં થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech