તમે કોરોના રસીના ડોઝ લીધા છે? જો આવો કોલ આવે તો થઇ જાવ સાવધાન, નહિતર મોબાઇલ થઇ જશે હેક અને...

  • August 03, 2023 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. હાલમાં આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોરોનાકાળમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું. લોકોના કામ ઓનલાઈન થતા હતા તેથી તે સમયે સાયબર ક્રાઈમના કેસમાં વધારો જોવા મળ્યો હતો. કોરોના સમય દરમિયાન લોકો વેક્સિન માટે રસીકરણ કેન્દ્રો પર લાઈનો લગાવતા હતા. આ ઉપરાંત ઘણા લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હતા.


હાલમાં તો કોરોના કેસ સામે આવી રહ્યા નથી તેમ છતા પણ કોરોના રસીના નામે લોકો સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યુ છે. ઠગ કરાનારા જુદા-જુદા લોકોને ફોન કોલ કરી રહ્યા છે અને તમે કોરોનાની રસી લગાવી છે કે નહી તેવો પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ કહેવામાં આવે છે કે, જો તમે રસી લીધી હોય તો 1 નંબર દબાવો. જો ભૂલથી પણ તમે 1 નંબર દબાવ્યો તો તમારો ફોન હેક થઈ જાય છે.


ત્યારબાદ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. તેથી જો કોઈ આ પ્રકાર ફોન કરે તો તેનાથી સાવધાન રહેવું જોઈએ. કોરોના રસી અંગે ફોન છેતરપિંડી કરતા ઠગ્સ લોકોથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ સલાહ આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application