સમસ્ત બદિયાણી પરીવાર દ્વારા દેવળીયા ખાતે પ્રાણપ્રતિષ્ઠા–હવન મહોત્સવનું આયોજન

  • October 05, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમસ્ત બદિયાણી પરીવાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાપુર તાલુકાના જામ દેવળીયા મુકામે આવેલ સુરાપુરાશ્રી રાઘવજી દાદાના મંદિરે આગામી તા.૧૧/૧૦/ર૦ર૪ ને શુક્રવારે હવનાષ્ટમી નિમીતે યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૧ર/૧૦/ર૦ર૪ના શનીવારે ભગવતી શ્રી રાંદલ માતાજીના તથા સીકોતર માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું શુભ મુહૅત રાખેલ  છે. જેનું બપોરે ૪–૩૦ કલાકે બીડુ હોમાસે.


આ બંન્ને દિવસ દરમ્યાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સમસ્ત બદિયાણી પરીવારના કુટુંબીજનોએ હાજર રહી આ પારિવારિક કાયૅમાં સહભાગી બને તેવી દેવળીયા દેવસ્થાન સમીતીના પ્રમુખ બાબુલાલ ભીમજીભાઈ બદિયાણી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application