કાવડ યાત્રાના રૂટ પર ખાદ્યપદાર્થોની દુકાનો અને સ્ટોલ ખોલવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારની સૂચનાઓ પર, હરિદ્વારની કેટલીક મસ્જિદો અને મકબરાઓની આગળ લગાડીને તેને ઢાંકી દેવામાં આવી છે જેથી તે દેખાય નહીં. આ મુદ્દે વિવાદ વધતાં પડદાઓ હટાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.
ઘણા કાવડીયાઓએ કહ્યું કે, તે બિનજરૂરી છે. હરિદ્વારના ઘણા હિન્દુ રહેવાસીઓએ પણ આ પગલા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાંના એકે તેને નિંદાપાત્ર ગણાવ્યું છે.
જો કે, ઉત્તરાખંડના વરિષ્ઠ કેબિનેટ મંત્રી સતપાલ મહારાજે તેને યોગ્ય ઠેરવતા કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે કોઈ પણ બાજુથી બિનજરૂરી ઉત્તેજના અથવા ઉશ્કેરણી ન થાય અને યાત્રા સરળતાથી ચાલે.તેમને સ્વીકાર્યું છે કે આવું પ્રથમ વખત કરવામાં આવ્યું છે, તેમને વધુમાં કહ્યું, સરકાર આ પગલાની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લેશે.
હરિદ્વારના ડીએમ ધીરજ સિંહ ગરબ્યાલે જણાવ્યું કે, આ પગલા માટે જિલ્લા વહીવટીતંત્ર જવાબદાર નથી. જ્યારે શુક્રવારે બપોરે આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા ત્યારે કેટલાક સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (એસપીઓ) અને સ્વયંસેવકો તાત્કાલિક સ્ક્રીનો હટાવતા જોવા મળ્યા હતા. એસપીઓ દાનિશે કહ્યું, હું આ જ્વાલાપુર રેલ્વે પોલીસ ચોકીના નિર્દેશ પર કરી રહ્યો છું. જો કે, તેમણે મસ્જિદો અને મંદિરોને બંધ કરવાનો આદેશ કોણે આપ્યો હતો તે જણાવવાનો ઇનકાર કર્યો હતો.
મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જ્વાલાપુરના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ઉંચા પુલ પાસે ભૂરે શાહ મઝાર અને ઈસ્લામનગરની એક મસ્જિદમાં 22 જુલાઈએ સ્ક્રીન લગાવવામાં આવી હતી. મંદિરના રખેવાળ અને મસ્જિદના વડા અનવર અલીએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓને આ પગલું ભરવા માટે શા માટે પ્રેરિત કયર્િ તે અંગે તેમની પાસે કોઈ સંકેત નથી. ઉત્તર પ્રદેશના એક કાંવડીયાએ કહ્યું, મસ્જિદો અને મંદિરોની નજીકથી પસાર થવાથી અમને પહેલાં ક્યારેય કોઈ મુશ્કેલી થઈ નથી અને આ વર્ષે પણ તેની અસર થઈ નથી.
સ્થાનિક રહેવાસી રતન મણિ ડોવાલે કહ્યું, આવું નહોતું કરવું જોઈતું હતું. કદાચ કેટલાક અધિકારીઓએ તેને જરૂરી માન્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માટે કેટલાક સ્થાનિક અધિકારીઓની અજ્ઞાનતાને જવાબદાર ઠેરવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech