નગરની વિપ્ર પરણીતાને રાજકોટમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાઓનો ત્રાસ

  • August 02, 2024 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરમાંથી હાંકી કાઢયાની ફરિયાદ


જામનગરની વિપ્ર પરણીતાને રાજકોટમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓએ ત્રાસ ગુજારી દહેજ ની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હોવાથી જામનગરના મહિલા પોલીસ પથકમાં તમામ સાસરિયાઓ સામે દહેજ ધારા ભંગ અંગેની ફરિયાદ નોંધાવી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરદાર નગર -૪ માં રહેતી અને રાજકોટ પરણાવેલી દીપિકાબેન મનીષભાઈ ઠાકર નામની ૨૧ વર્ષની વિપ્ર પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી દહેજ ની માંગણી સાથે ઘરમાંથી હાથ કાઢી હતી.

જેથી તેણીએ જામનગર આવીને મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ પતિ મનીષ વિમલભાઈ ઠાકર, સસરા વિમલભાઈ ચંદુભાઈ ઠાકર, સાસુ મીનાક્ષીબેન વિમલભાઈ ઠાકર, દિયર જતીનભાઈ વિમલભાઈ ઠાકર, નણંદ પાયલબેન રોહિતભાઈ વ્યાસ અને નણદોયા રોહિતભાઈ વ્યાસ સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે તમામ સાસરીયાઓ સામે દહેજ પ્રતિબંધક ધારા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસ નો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application