જામનગરની યુવતિને દહેજભુખ્યા સુરેન્દ્રનગરના સાસરીયાનો સિતમ

  • June 28, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સંતકબીર સાહેબનગર આવાસ યોજના એફ૩૦૫ ખાતે રહેતી જસ્મીનબેન ઋષભભાઇ શાહ (ઉ.વ.૨૩) નામની પરિણીતાને લગ્નજીવન દરમ્યાન અવાર નવાર નાની નાની વાતોમાં ઝઘડાઓ કરી તેમજ તેણીના પતિએ મરી જવાની ધમકી આપી કરીયાવરમાં ઘરવખરીનો સરસામાન તથા પૈસા લાવવાની માંગણી કરીને શારીરીક, માનસીક દુ:ખત્રાસ આપ્યો હતો. દરમ્યાન જસ્મીનબેન દ્વારા આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગરના નીલમબાગ પાસે વિમલનાથ સોસાયટીમાં રહેતા પતિ રુષભ સુરેશ શાહ, સાસુ હંસાબેન સુરેશ, સસરા સુરેશ રમણીક શાહ તથા ચોટીલા આંબલી ફળી ખાતે રહેતી નણંદ હેમાંગીબેન દર્શન શાહ અને સુરેન્દ્રનગર અલ્ટ્રાવિઝન સર્કલ ખાતે રહેતા માસાજી સસરા રાજેન્દ્ર ચોટલીયાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application