રાજકોટ-વીરપુર જલારામ વિવાદનો સુખદ અંત...જાણો સમગ્ર મામલો

  • March 04, 2025 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-વીરપુર જલારામ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવસ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે. દેવસ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી છે અને જ્ઞાનપ્રકાશ સ્વામી પણ અનુકૂળતાએ મંદિર અને પરિવારની માફી માંગશે.


દેવસ્વરૂપ સ્વામીએ સ્વીકાર્યું છે કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાના અનુયાયીઓ વધારવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિત અને વિડિયો મારફતે માફી માંગવામાં આવશે.


વિવાદનું કારણ

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના કારણે લોહાણા સમાજમાં રોષ ફેલાયો હતો. લોહાણા સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીની માફીની માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application