દ્વારકાના પંચમુખી હનુમાન મંદિરે હનુમાનજીનો પ્રાક્ટય મહોત્સવ ઉજવાશે

  • April 10, 2025 12:16 PM 

સુંદરકાંડ, સત્યનારાયણની કથા, સત્સંગ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન 

ચૈત્રી પૂનમ શનિવારે હનુમાનજીના પ્રાગટ્યોત્સવ પ્રસંગે દ્વારકાના પંચમુખી હનુમાનજી મંદિરે શ્રેણીબદ્ધ ધામિર્ક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

તા. ૧૨-૪-૨૦૨૫, શનિવારના રોજ પવનપુત્ર શ્રી હનુમાનજીના પ્રાક્ટયોત્સવ પ્રસંગ દ્વારકાના ગાયત્રી મંદિર પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે  સવારે ૧૦ કલાકે સુંદરકાંડના પાઠ, બપોરે ૪ કલાકે સત્યનારાયણીની કથા, સાંજે ૬ કલાકે શ્રી દ્વારકાધીશ ગોપીમંડળ તથા શ્રી ગોમતીઘાટ ગોપીમંડળના બહેનો દ્વારા સત્સંગ, સાંજે ૭.૩૦ કલાકે મહાઆરતી, રાત્રે ૮.૦૦ કલાકે બ્રહ્મભોજન, સંતભોજન તથા મહાપ્રસાદ, રાત્રે ૧૦.૩૦ કલાકે સંતવાણી સહિતના શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાશે. 

આ સમગ્ર ધામિર્ક કાર્યક્રમોનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના મહંત દયાદાસબાપુ ગુરુશ્રી કિશોરદાસ બાપુએ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application