CM ના પુત્રના સ્વાસ્થય માટે હનુમાનચાલીસા પાઠ : રાજકોટમાં બાલાજી મંદિર ખાતે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજન

  • May 03, 2023 01:40 PM 



રાજકોટમાં મુખ્યમંત્રીના સુપુત્ર અનુજ પટેલના સ્વાસ્થ્ય માટે હનુમાન ચાલીસા પાઠ રાખવામાં આવ્યા છે. બાલાજી મંદિર ખાતે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા મુંબઈ સર્જરી કરવામાં આવી હતી. સ્વાસ્થય સારૂં થાય તે માટે હનુમાન ચાલીસા ગાન રાખવમાં આવ્યું હતું. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં ઓપરેશન બાદ હવે તેમને મુંબઈ લઈ જવાયા છે. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવશે. મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને કેડી હોસ્પિટલ ખસેડાયા હતા. કેડી હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું. હિન્દુજા હોસ્પિટલના ન્યૂરો સર્જને વિઝીટ કરી હતી. ડૉકટર મિસરાઈ દ્વારા કરાયેલી તબીબી તપાસ બાદ તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application