BREAKING NEWS

હંતા વાયરસનો હાહાકાર: અમેરિકન નાગરિક સંક્રમિત મળતા ફફડાટ; ઓસ્ટ્રેલિયાએ નાગરિકોને એરલિફ્ટ કર્યા, જાણો કેટલો ઘાતક છે આ વાયરસ

  • May 11, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લક્ઝરી ક્રૂઝ શિપ પર સવાર મુસાફરોમાં સંક્રમણ ફેલાતા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોએ પોતાના નાગરિકોને ક્વોરન્ટાઇન કરવા અને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. ડચ ધ્વજ ધરાવતા આ જહાજ પર અત્યાર સુધીમાં અનેક પોઝિટિવ કેસ અને મોતના સમાચાર સામે આવ્યા છે.


અમેરિકા દ્વારા હાઈ-ટેક એરલિફ્ટ ઓપરેશન
અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગ (HHS) એ જહાજ પર સવાર તમામ 17 અમેરિકન નાગરિકોને એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.


બાયોકન્ટેનમેન્ટ યુનિટ: સંક્રમિત નાગરિક અને લક્ષણો ધરાવતા અન્ય એક પ્રવાસીને વિમાનના ખાસ ડિઝાઈન કરાયેલા બાયોકન્ટેનમેન્ટ યુનિટમાં અમેરિકા લઈ જવામાં આવી રહ્યા છે.


સ્પેશિયલ ટ્રીટમેન્ટ સેન્ટર: આ તમામ લોકોને નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર ખાતેના સ્પેશિયલ પેથોજન ટ્રીટમેન્ટ સેન્ટરમાં રાખવામાં આવશે, જ્યાં તેમની સ્થિતિ મુજબ સારવાર કરવામાં આવશે.


ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનું રેસ્ક્યુ મિશન
ઓસ્ટ્રેલિયાએ પણ સોમવારે જાહેરાત કરી છે કે તે જહાજ પર ફસાયેલા પોતાના નાગરિકો માટે ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ મંત્રી મરે વાટે જણાવ્યું કે ચાર ઓસ્ટ્રેલિયન, એક ટેનેરિફ નિવાસી અને એક ન્યુઝીલેન્ડના નાગરિકને પરત લાવવામાં આવશે. પરત લાવવામાં આવતા લોકો માટે અલગ-અલગ રાજ્યોમાં ક્વોરન્ટાઇન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડ સરકારે પણ આ મામલે સહયોગની ખાતરી આપી છે.


શું છે હંતા વાયરસનો ‘એન્ડીઝ સ્ટ્રેન’?

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા અનુસાર, આ જહાજ સાથે જોડાયેલા કુલ 8 લોકો બીમાર પડ્યા છે, જેમાંથી 6 માં વાયરસની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં ત્રણ લોકો (એક ડચ દંપતી અને એક જર્મન નાગરિક) ના મોત થયા છે. આ આઉટબ્રેકમાં જોવા મળેલો એન્ડીઝ સ્ટ્રેન અત્યંત ઘાતક છે. તે ફેફસાંની ગંભીર બીમારીનું કારણ બને છે અને 50% કિસ્સાઓમાં તે જીવલેણ સાબિત થઈ શકે છે.


હાલમાં જહાજ પર સવાર બાકીના પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને દરિયામાં જ રાખવામાં આવ્યું છે અને વિવિધ દેશોની મેડિકલ ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.


WHO એ કહી આ મોટી વાત
WHO એ જહાજ પરના તમામ મુસાફરો માટે 42 દિવસના ક્વોરેન્ટાઇનની ભલામણ કરી છે. જો કે, આરોગ્ય નિષ્ણાતોએ ભાર મૂક્યો છે કે આ વાયરસ COVID-19 કરતા નોંધપાત્ર રીતે ઓછો ચેપી છે અને જાહેર આરોગ્ય માટે પ્રમાણમાં ઓછો જોખમ ઉભો કરે છે.


હંતાવાયરસ સામાન્ય રીતે ઉંદરો દ્વારા ફેલાય છે; જો કે, નજીકના સંપર્ક દ્વારા વ્યક્તિ-થી-વ્યક્તિમાં ટ્રાન્સમિશનના દુર્લભ કિસ્સાઓ પણ નોંધાયા છે. આ રોગચાળો સૌપ્રથમ 2 મેના રોજ જોહાનિસબર્ગમાં પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એક બ્રિટિશ મુસાફર બીમાર પડ્યો હતો. આના એકવીસ દિવસ પહેલા, જહાજ પરના અન્ય મુસાફરનું અવસાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application