BREAKING NEWS

હળવદ: નર્મદા કેનાલના પાળાને નુકસાન બાદ તત્રં જાગ્યું: ત્રણ કારખાનેદારોને નોટિસ

  • June 18, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ તાલુકાના સાપકડા ગામ જેઠવાની ધાર પાસેથી પસાર થતી મોરબી બ્રાંચ નર્મદા કેનાલને થયેલા નુકસાનના મામલે આખરે તત્રં એકશનમાં આવ્યું છે. કેનાલના પાળામાં તિરાડો પડવા અને ક્ષતિગ્રસ્ત થવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા બાદ સંબંધિત અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બ્લેક સ્કોરીના કારખાનાઓમાંથી નીકળતા ઓવરલોડ ડમ્પરોની અવરજવરને કારણે કેનાલના પાળાને નુકસાન થતું હોવાનું સામે આવતા ત્રણ કારખાનેદારોને નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રા વિગતો મુજબ શિવ સ્ટોન, ઉમા સ્ટોન અને જેઠવા સ્ટોનના સંચાલકોને સત્તાવાર નોટિસ પાઠવી છે દિવસની અંદર ઓવરલોડ ડમ્પરોની અવરજવર અને નિયમભગં બધં કરવા કડક સૂચના આપવામાં આવી છે. તંત્રે સ્પષ્ટ્ર શબ્દોમાં ચેતવણી આપી છે કે જો નક્કી કરેલી સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત સંચાલકો સામે પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નર્મદા કેનાલ ખેડૂતો માટે જીવનદોરી સમાન ગણાય છે. આવી સ્થિતિમાં કેનાલના પાળાને થતા નુકસાનને લઈને ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી હતી. કેનાલની સલામતી અને સિંચાઈ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રે હવે કડક વલણ અપનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક સ્તરે લાંબા સમયથી ઓવરલોડ ડમ્પરોના ત્રાસ અંગે રજૂઆતો થતી હોવાના આક્ષેપો વચ્ચે હવે તત્રં દ્રારા લેવામાં આવેલા પગલાંને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જો કેનાલને વધુ નુકસાન પહોંચશે તો હજારો એકર ખેતી અને સિંચાઈ વ્યવસ્થા પર સીધી અસર પડી શકે છે. તેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ખેડૂતો અને સ્થાનિક લોકો દ્રારા પણ માગ ઉઠી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application