હળવદ નગરપાલિકા દ્રારા વૈજનાથ ચોકડી પાસે લોકોની સુખાકારી વધારવા માટે સ્વર્ણીમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજીત ૫૪ લાખ પિયાના ખર્ચે અટલ બિહારી સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં આવ્યો હતો જે જાળવણીના આભાવે હાલમાં ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે,રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે. હળવદ નગરપાલિકા દ્રારા લોકોના સુખાકારીમાં વધારો કરવા માટે ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૫૪ લાખથી વધુના ખર્ચે સુંદર મજાનો સિનિયર સિટીઝન રમતગમતના સાધનો પાણીના ફુવારા બેસવા માટે બાંકડાઓ જેવી વ્યવસ્થા સાથે આધુનિક સિનિયવર સિટીજન પાર્ક બનાવવામાં આવ્યું હતું. માત્ર યોગ્ય જાળવણીના અભાવે આજે આ પાર્ક નકેગાર બની ગયો છે, નથી રમતગમતના સાધનો, નથી બેસવા માટેના બાંકડાઓ, ફુવારાઓ બધં હાલતમાં છે, ટોયલેટ બધં હાલતમાં છે, સિનિયર સિટીઝન પાર્કમાં બેસવું તો કયાં બેસવું તે પણ એક પ્રશ્ન છે, સીનીયર સીટીઝન પાકે હાલમાં સાવ ખંડેર બની ગયેલ હાલતમાં છે. અંધારપટ હોવાથી કેટલાક અસામાજિત તત્વો સિનિયર સિટીઝન પાકેમા પગપેશરો કર્યેા છે વધતા જતા અસામાજિક તત્વોના આવન જાવનના કારણે અનેક અસમાધિક પ્રવૃત્તિઓ પણ રાત્રિના સમયે થાય છે. કેટલાક આવારા તત્વો તો નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે અમુક તત્વો તો નુકસાન પહોંચાડી સાધન સામગ્રીની ચોરી કરીને પણ લઈ જઈ રહ્યા છે. રાત્રિના સમયે દા તથા કેફી દ્રવ્યોના સેવન માટે પણ આ પાર્કને અડો બનાવી દીધાની ચર્ચા એ જોર પકડું છે. આજ દિન સુધી નગરપાલિકા દ્રારા કોઈ પગલાં ન લેવાતા શેહરીજનોમાં ચર્ચા રહ્યું છે કે શું પાલિકાના અધિકારીઓને આ બાબતને ખબર નહીં હોય તેવા પ્રશ્નો લોકમુખે સાંભળવા મળી રહ્યું છે. ઉનાળાની શઆત થતાં તાત્કાલિક ધોરણે સિનિયર સિટીઝન પાકેનું રીનોવેશન કરી ફરીથી આ પાર્ક સિનિયર સિટીઝનો માટે ફરવા લાયક બનાવવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએઇમ્સના નવા ડે.ડાયરેક્ટર તરીકે કર્નલ અંકુર પ્રતાપસિંહે ચાર્જ સંભાળ્યો
March 01, 2025 03:27 PMદારૂ પી કાર લઇ નીકળેલા ડી.જે. સંચાલકે કોર્પોરેશનન વાહન સાથે અકસ્માત સર્જયો
March 01, 2025 03:21 PMમહાપાલિકા-રેલવેની બેદરકારીથી પરસાણા નગર બન્યું મચ્છર નગર
March 01, 2025 03:19 PMબે વર્ષમાં ભારતની જીડીપી માથાદીઠ 40,000 રૂપિયા વધી: એસબીઆઈ રિપોર્ટ
March 01, 2025 03:17 PMઅમેરિકાને 250 વર્ષ બાદ મળશે રાષ્ટ્રભાષા
March 01, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech