ભાવનગર જિલ્લામાં બે દિવસના વિરામ બાદ શ્રાવણ માસના અંતિમ સોમવારે સાંજના સુમારે મેઘસવારી આવી પહોંચતા મોડી રાત સુધીમાં ભાવનગર શહેર,ઘોઘા અને સિહોરમાં અર્ધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ચાર તાલુકાઓમાં શ્રાવણી સરવડા વરસ્યા હતા.ત્રણ તાલુકામાં મેઘવિરામ રહયો હતો. શહેરમાં સીઝનનો કુલ વરસાદ ૨૦ ઈંચને પાર થયો છે.
ભાવનગર શહેરમાં બે દિવસના વિરામ બાદ સોમવારે સાંજે મેઘસવારી આવી પહોંચતા મોડી રાત સુધીમાં અર્ધો ઈંચ પાણી પીરસી દીધુ હતુ.ભાવનગરમાં આ સીઝન નો કુલ વરસાદ ૨૦ ઇંચને પાર થયો છે.ઘોઘા અને સિહોરમાં પણ મેઘરાજાએ મહેર કરતા અર્ધો ઈંચ પાણી વરસી ગયું હતું.વલભીપુરમાં પા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.જ્યારે ગારિયાધાર,પાલીતાણા અને મહુવામાં શ્રાવણી સરવડા વરસ્યા હતા.જેસર,ઉમરાળા અને તળાજામાં મેઘરાજાએ વિરામ લીધો હતો.
સોમવારે સાંજથી મોડી રાત સુધીમાં ભાવનગરમાં ૧૩,વલભીપુરમાં ૯, સિહોરમાં ૧૨, ગારિયાધારમાં ૧૦, મહુવામાં ૨,ગારિયાધારમાં ૪,પાલિતાણામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ભાવનગર જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ ૫૩૮ મી.મી. થયો. છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech