પરડવામાં વાદળો ઘેરાયા પરંતુ અડધા ઇંચ વરસાદથી લોકોએ સંતોષ માન્યો: મહત્તમ તાપમાન 30.7 ડીગ્રીએ પહોંચ્યું
શ્રાવણ માસની શઆત પહેલા જ મેઘરાજાએ વિરામ લેવાનું નકકી કર્યુ છે ત્યારે ગઇકાલે વાંસજાળીયા અને પરડવામાં અડધો-અડધો ઇંચ વરસાદ થયો છે જયારે જામનગર શહેરમાં રાબેતા મુજબ અવારનવાર ઝાપટા પડતા રાજમાર્ગો ભીના થયા હતાં.
લેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 30.7 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.5 ડીગ્રી, હવામાં ભેજ 95 ટકા અને પવનની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે.
મેઘરાજાએ સમાણામાં 7 મીમી, શેઠવડાળા 4, ઘુનડા 2, ધ્રાફામાં 5 મીમી વરસાદ વરસાવ્યો છે. જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા અને કલ્યાણપુરમાં માત્ર ઝાપટા પડયા છે, આજે સવારે જામનગરમાં ફરીથી એક ઝાપટુ પડયું હતું અને વાદળીયું વાતાવરણ જોવા મળે છે ત્યારે છેલ્લા અઠવાડીયાથી શહેરમાં અવારનવાર ઝાપટા પડતા હોય લોકો પણ કંટાળી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech