ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનારી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ આવતીકાલે લેવાશે. આ વર્ષે ગુજરાતમાં ગુજકેટમાં કુલ ૧.૩૭ લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. તમામ પરીક્ષા કેન્દ્રો સી સી ટીવી થી સ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ છે. આ પરીક્ષામાં રાજકોટ જિલ્લાના ૪૯ કેન્દ્રો પરથી ૯,૮૨૬ વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે. રાજકોટમાં કાલે કુલ ૪૯ બિલ્ડીંગ, ૪૯૩ બ્લોકમાં વિધાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ૫૮૫૭ વિધાર્થીઓ અને ૩૯૬૯ વિધાર્થિનીઓનો સમાવેશ થાય છે.
ગુજકેટની પરીક્ષામાં 'એ' ગૃપમાં ૪,૧૭૪, ગૃપમાં ૫,૬૪૫ વિધાર્થીઓ, ગૃપના ૭ વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં તા. ૩૧મી માર્ચે સવારે ૧૦:૦૦થી ૧૨:૦૦ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧:૦૦થી ૨:૦૦ જીવવિજ્ઞાન તો બપોરે ૩:૦૦થી ૪:૦૦ વાગ્યા દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે. ભૌતિકશાક્ર અને રસાયણશાક્રનુ પ્રશ્નપત્ર સંયુકત રહેશે એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકશાક્રના અને ૪૦ પ્રશ્નો રસાયણશાક્રના એમ કુલ ૮૦ પ્રશ્નો, ૮૦ ગુણ અને ૧૨૦ મીનીટનો સમય આપવામાં આવશે. આન્સરશીટ પણ ૮૦ પ્રત્યુતર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની ઓએમઆર આન્સરશીટ પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મીનીટનો સમય આપવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech