તાજેતરમાં જ ૨૫મી મેના રોજ વિશ્ર્વ ટેરોકાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરનું અમૂલ્ય ઘરેણું એવા પૂર્વીદીદી (પૂર્વીબેન ઘનશ્યામભાઇ મહેતા)એ ગુજરાતના પ્રથમ ટેરોકાર્ડ રીડર છે અને આ વિદ્યાના માધ્યમથી તેઓ સમાજને અનેક પ્રકારે મદદપ થઇ રહ્યા છે. એટલું જ નહી પરંતુ મહિલાઓમાં જન્મજાત આંતરિક સૂઝબુઝ અને ચેતનાનો વિકાસ થયો હોવાથી ટેરોકાર્ડની રીડીંગ વિદ્યા ૮૦% મહિલાઓને ફળી છે.
પોરબંદરનું અમૂલ્ય ઘરેણું - પૂર્વીદીદી
પોરબંદરના જાણીતા પત્રકાર અને ગોઢાણીયા મહિલા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ઘનશ્યામભાઇ મહેતા અને શિક્ષણ ક્ષેત્રે જેમનું અમૂલ્ય યોગદાન રહ્યુ છે તથા સાહિત્યક્ષેત્રે પણ ઉંડાણથી ખેડાણ કર્યુ છે તેવા સ્વ. અનુમતિબહેન મહેતાના પુત્રી પૂર્વીબેન (પૂર્વીદીદી) ગુજરાતના પ્રથમ ટેરોકાર્ડ રીડર છે અને પોરબંદરમાં પૂર્વીબેન મહેતાએ પત્રકારત્વક્ષેત્રે પણ ખૂબજ મહત્વનું યોગદાન રહ્યુ છે અને મહિલા પત્રકાર તરીકે તેમણે સૌરાષ્ટ્રના નામાંકિત અખબારોમાં પોરબંદરથી કામ કર્યુ છે એટલું જ નહી પરંતુ પોરબંદરના કીર્તિમંદિરમાં પણ સંચાલક તરીકે ખૂબજ મહત્વનું યોગદાન આપીને સારી રીતે ફરજ નિભાવી છે અને કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાયી થઇને પૂર્વીદીદી ઘનશ્યામ મહેતા (પૂર્વીદીદી)એ ટેરોકાર્ડ રીડર તરીકે પણ મહત્વની સેવા આપી છે અને હજુ આપી રહ્યા છે ત્યારે વિશ્ર્વ ટેરોકાર્ડ દિવસ ૨૫મી મે અનુસંધાને પૂર્વીદીદીએ કેટલીક ટેરોકાર્ડ વિષેની માહિતી આપી હતી.
વિશ્ર્વ ટેરોકાર્ડ દિવસ
૨૫ મે નો દિન જ્યારે વિશ્ર્વ કક્ષાએ ટેરોકાર્ડ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતના પ્રથમ ટેરોકાર્ડ રીડર પૂર્વીદીદીએ (મા પૂર્વી પ્રકાશ) નવયુવાન ટેરોકાર્ડ રીડરોને શુભેચ્છા પાઠવતા ટેરોકાર્ડ વિષે રોચક અને રહસ્યમયી જાણકારીઓ પૂરી પાડે છે. ગીતાજીમાં લખ્યુ છે કે,
જો મેરે ભાગ્ય મેં નહી હૈ
વો દુનિયા કી કોઇ શક્તિ મુઝે દે નહી સકતી
ઔર જો મેરે ભાગ્ય મેં હૈ ઉસે દુનિયા કી
કોઇ ભી શક્તિ છીન નહીં સકતી
ભાગ્યને આપણે નસીબ, મુકદ્ર, તકદીર, વિધિના લેખ, ડેસ્ટીની જેવા અલગ-અલગ નામથી ઓળખીએ છીએ. સામાન્યજન પોતાનું ભાગ્ય લખાવીને આવે છે. જ્યારે અસામાન્ય અવતારી લોકો પોતાનું પ્રારબ્ધ લખાવીને આવે છે. ભાગ્ય મહેનત, ધગશ અને પુરુષાર્થથી બદલી શકાય છે અથવા સુધારી શકાય છે પરંતુ ભગવાન રામ, ભગવાન બુધ્ધ, મહાવીર, જીસસ જેવા અવતારી પુષોનું પ્રારબ્ધ બદલી નથી શકાતુ. કારણકે પ્રારબ્ધ થકી તે સ્વયં તકલીફ ઉઠાવીને લોકોનું કલ્યાણ કરતા હોય છે.
આ ભાગ્ય તથા પ્રારબ્ધને જોવા, જાણવા, વિચારવા અને સમજવા માટે જ્યોતિષની અલગ-અલગ પધ્ધતિઓ દરેક ધર્મ અને સંપ્રદાયમાં જોવા મળે છે. એમાંની એક સર્વધર્મ સમભાવ તથા ધ્યાનની આધ્યાત્મિક પ્રક્રિયા સાથે જોડાયેલી પ્રમુખ વિદ્યાઓમાંની એક છે. ટેરોકાર્ડ રીડીંગની વિદ્યા. આ વિદ્યા ૮૦% મહિલાઓને ફળી છે. કારણકે મહિલાઓમા જન્મજાત આતંરિક સૂઝબૂઝ અને ચેતાનો વિકાસ થયેલો છે.
ટેરોકાર્ડની ઉત્પત્તિ અને ઇતિહાસ
પારંપરિક ટેરોકાર્ડની વિદ્યા ઇજિપ્તમાં પંદરમી સદીમાં શોધાઇ ત્યારબાદ જિપ્સીઓને તેમના વિશ્ર્વ પ્રવાસ દરમિયાન આ વિદ્યાને સમગ્ર વિશ્ર્વમાં જાણીતી બનાવી હતી. ત્યારબાદ આ સામાન્ય ભવિષ્યકથનની વિદ્યાને ભારતની અંદર સંબુધ્ધ ગુરુ ઓશોએ આધુનિક તથા આધ્યાત્મિક સ્વપ આપી પૂના ખાતેની મલ્ટીવર્સીટીમાં નવો ઓપ આપ્યો.
સમગ્ર વિશ્ર્વમાં હજુ પણ પારંપરિક ટેરો વિદ્યાર્થી જ્યોતિષ કથન કરતા ટેરોકાર્ડ રીડર ઘણી મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે પરંતુ એક ચોકકસ પ્રકારનો બુધ્ધિજીવી વર્ગ પોતાના અંગત, સામાજિક, આધ્યાત્મિક, વહેવારી જીવનના સૂક્ષ્મ પ્રશ્ર્નોનો .કેલ મેળવવા ઓશોના માર્ગદર્શન નીચે તૈયાર થયેલા ઓશઝોન ટેરોકાર્ડ , ઓશો સંવાદકાર્ડ, ઓશો ટ્રાન્સર્ફોમેશન કાર્ડ, ઓશો બુધ્ધ કાર્ડ તથા તાઓ ઓરેકલ કાર્ડ ઉપયોગ કરે છે
આ ટેરોકાર્ડની વિશેષતા એ છે કે તે કૌટુંબિક, સામાજિક બાબતોમાં ગુંચવાઇ ગયેલા પ્રશ્ર્નોનું નિરાકરણ તો કરે જ છે. ઉપરાંત સામેની વ્યક્તિના આંતરિક મનમાં ચાલતા વિચારો, તરંગો તથા વ્યક્તિનું ચરિત્ર, સ્વભાવ, સંસ્કાર, ઉછેર, રહેણીકરણી વગેરે તેની ઓરામાથી જોઇ શકે છે.
ટેરોકાર્ડથી થતા ફાયદા
ટેરોકાર્ડ હૃદય, બુધ્ધિ, મન, વિચારો, અભિવ્યક્તિ દરેક બાબતને સ્પર્શી ઝીણવટપૂવર્કનાં બ્લોકેજ દૂર કરી વ્યક્તિને સાચી દિશા દેખાડે છે. જેને લીધે વ્યક્તિ ખોટા રસ્તા પર જઇને આર્થિક, આંતરિક, અંગત નુકશાનથી બચી શકે છે. અને જો નુકશાન થયુ હોય તો તેમાંથી રિકવરી મેળવી હિલીંગની પ્રક્રિયા આગળ વધારી શકે છે.
ગુજરાતના પ્રથમ ટેરોકાર્ડ રીડર પૂર્વીદીદી
૧૯૯૫માં સમગ્ર ભારતમાં માત્ર સાત ટેરોકાર્ડ રીડર હતા તેમાં ગુજરાતમાં ઓશો ઝોન ટેરોકાર્ડના સ્ટેથી આ વિદ્યાનો પ્રચાર-પ્રસાર કરનારા પૂર્વીદીદી ગુજરાતના પ્રથમ ટેરોકાર્ડ રીડર તરીકે જાણીતા થયા છે. ભારતના સિનીયર ટેરોરીડરમાં રાની, શર્લીબોઝ, સોનલવર્મા, રોહીણી ખત્રી જાણીતા છે.
સર્વધર્મ સમભાવ અને ટેરોકાર્ડ
ટેોરકાર્ડ માત્ર ઓશો જ નહીં પણ દરેક ધર્મ અને સંપ્રદાયના લોકોને ઉપયોગી થાય છે. તેથી ઓશો પાસેથી પ્રેરણા લઇ આજે ભારતમાં દરેક ધર્મ અને સંપ્રદાયે પોતાની ફિલોસોફીને સમજાવતા ચિત્રો, ફોટાઓ, કવોટેશનથી ટેરોકાર્ડના ડેક બહાર પાડયા છે.
પરંતુ વિશ્ર્વકક્ષાએ આજે એક લાખથી વધુ ટેરોકાર્ડના ડેક બહાર પાડવા છતા મૂળભૂત પાયાના રાઇડર વેટ અને ઓશોઝેન ટેરોકાર્ડના ડેકનું સહુથી વધારે વેચાણ થયુ છે. ટેરોકાર્ડના એક સેટની કિંમત આઠસો પિયાથી લઇને આઠ હજાર, અઢાર હજાર, અને તેનાથી વધુ હોય છે. આ એક એવી ટૂલકીટ છે જે વ્યક્તિએ એકવાર લઇ લીધા પછી શીખી,સમજી અને જીવનભર પોતાની તિજૂરીમાં રાખવા જેવી છે.
કઇ રીતે શીખી શકાય ટેરોવિદ્યા?
કોઇપણ આધ્યાત્મિક વિદ્યાનો ઉપયોગ તેના માસ્ટર પાસેથી વ્યવસ્થિત શીખ્યા પછી જ કરવો જોઇએ. પછી તે વિદ્યા કોઇપણ હોય, એકવાર શીખી લીધા પછી તેનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો જોઇએ, ઝડપી સફળતા કે સંપત્તિ મેળવવાના લોભમાં આવી વિદ્યાઓનો આડેધડ ઉપયોગ કરવો જોઇએ નહીં. આને લીધે વ્યક્તિને પોતાને અને સામેવાળાને બંનેને હાની થાય છે.
ભારતમાં સર્વપ્રથમ ટેરોકાર્ડ માસ્ટરનું બિદ મા પ્રેમ ઉષાને મળ્યુ હતુ. તેમણે આજીવન આ વિદ્યાના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર વિશ્ર્વનો પ્રવાસ ખેડયો હતો અને આજીવન દિલ્હી ઓશોધામ સાથે સંકળાયેલા રહ્યા હતા.
ગુજરાતમાં સર્વપ્રથમ ટેરોકાર્ડ માસ્ટરનું બિદ (મા પૂર્વી પ્રકાશ)ને મળ્યુ છે. તેમણે પણ મા પ્રેમ ઉષા પાસેથી પ્રેરણા લઇ બહોળો પ્રવાસ ખેડીને આ વિદ્યાનો પ્રચાર, પ્રસાર કરી હવે રાજકોટ ઓશોના ધ્યાનમંદિર સાથે સંકળાયેલા છે.
ઓશો ટેરો લવર્સમાં જોડાવા અપીલ
આ ટેરોવિદ્યા બહેનોને વધુ પ્રમાણમાં ફળતી હોય પૂર્વીદીદી બહેનોને આ વિદ્યા વધુ પ્રમાણમાં શીખાવી રહ્યા છે અને નવી પેઢીને શક્તિસ્વપ માતાજીઓને ટેરોવિદ્યાથી વધુ મજબૂત બનાવી રહ્યા છે. એના માટે તેઓ પૂર્વીદીદી ડોટ ઓ.આર.જી. ઓર્ગેનાઇઝેશન વેબસાઇટ ચલાવી રહ્યા છે. તથા ‘ઓશો ટેરો લવર્સ’ નામનું ભાઇઓ તથા બહેનોનું વ્હોટસઅપ ગૃપ ચલાવી રહ્યા છે. જેમાં જોડાવા માટે વોટસઅપ નંબર -૯૪૦૮૩ ૦૯૫૩૧ ઉપર વોઇસ મેસેજ કરી શકાય છે. આ નંબર ફકત વોટસઅપ મેસેજ માટે જ છે. તથા અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇ ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર, કિશાનપરા ચોક, રાજુભાઇ ફૂલવાળા પાસે, રાજકોટ ખાતે બ અ પણ પૂર્વીદીદીનો સંપર્ક કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech