ગણેશોત્સવને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે આગામી ગણેશોત્સવને લઈને હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી છે. જેમાં ગણપતિ વિસર્જનના સમયે પાણીમાં ડૂબવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ અને વિસર્જન માટે કુંડ બનાવવા જણાવ્યું છે આ માટે સ્થાનિક કક્ષાએ એસઓપી કરીને તેનો કડક અમલ કરવા માં આવે તે જરી છે. ગણેશોત્સવમાં મૂર્તિ વિસર્જન કરતાં સમયે ઘણી વખતે પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી કોઈ ઘટના ના બને તેની તકેદારી રાખવા માટે હાઇકોર્ટે જણાવ્યું છે. ગણેશોત્સવના સમયે પાણીમાં ડૂબી જવાની ઘટના ના બને તેના માટે હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી હતી. હરણી બોટ દુર્ઘટનામાં ઘણા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે હરણી બોટ દુર્ઘટનાની સુનાવણી વખતે ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યેા હતો. જેમાં ગણેશોત્સવના સમયે પાણીમાં ડૂબી જવાની ઘટના ના બને તેના માટે તકેદારી સાથે આગામી દિવસમાં આવતા તહેવારને ધ્યાનમાં રાખી તૈયારી કરવા માટે હાઇકોર્ટ દ્રારા આદેશ આપવામાં આવ્યો હતો.
ગણપતિ વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય નહીં તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.સાથે જ ગણેશોત્સવને લઈને ચિંતા પણ વ્યકત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech