ઉપલેટા પંથકમાં લીલો દુકાળ: પાકનો સફાયો સર્વે કરાવવા માગણી

  • July 24, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંથકમાં મોસમનો ૫૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યા બાદ ડેમના પાણી ખેતરોમાં ફરી વળતા ચોમાસું પાકના કપાસ, મગફળી અને સોયાબીનના પાકોનો સફાયો થઈ ગયો છે. ત્યારે સરકાર દ્વારા વહેલીતકે પાક નિષ્ફળનો સર્વે કરાવે તેવી જગતના તાતે માગ ઉઠાવી છે.ઉપલેટા પંથકમાં મોજ, વેણુ, ભાદર બે ડેમ છેલ્લા આઠ દિવસ થયા સતત ઓવરફલોને કારણે તના પાણી સીમ જમીનમાં ઘૂસી જતાં દર પટ્ટી વિસ્તારના ઈશરા, લાઠ, મજેઠી, કુંઢેચ, સમઢિયાળા, હાડફોડી, ચિખલિયા, ઉપલેટાની સીમમાં ગોઠણડૂબ પાણી ભરાતા પાક નિષ્ફળ ગયા છે.
​​​​​​​
જયારે ભાયાવદરપટ્ટીમાં ગઢાળા, ખાખીજાળિયા, અરણી, ટીંબડી, મોજીરા, કલારિયા સહિતના ગામોમાં છેલ્લા એક માસમાં ૫૦ કરતા વધુ ઈંચ વરસાદ પડતા પાકનો સોથ વળી ગયો હતો જયારે ભાયાવદરની સીમ જમીનમાં ‚પાવટી નદીના પાણી ઘૂસી રહ્યા હતા. જયારે પાનેલી, મેરવદર, નાગવદર, ઢાંક, વરજાંગ જાળિયાની જમીનોમાં પણ વધારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે ત્યારે ઉપલેટા પંથકમાં લીલો દુષ્કાળ પડયો હોય તેવું વડિલો કહી રહ્યા છે.મુખ્ય પાક કપાસ, મગફળી, સોયાબીનનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો પણ હવે મુંજાયા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિકસાની સર્વે હાથ ધરવામાં આવે તેવી જગતના તાતે માગ ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application