ઉપલેટા પંથકમાં પાંચ રોડ માટે રૂા.૧૦.૬૦ કરોડ મંજૂર: ધારાસભ્ય ડો.પાડલિયાની મહેનત ફળી

  • August 31, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટા પંથકના પાંચ મોટા રસ્તાઓ છેલ્લ ા ઘણા સમયથી મગરની પીઠ જેવા બની ગયા હતાં. વાહનચાલકો પણ આ રસ્તાથી કંટાળી ગયા હતાં. આખરે ગઇકાલે રાજયમાં સેવાભાવી મુખ્યમંત્રી દ્રારા પાંચ નવા રોડ બનાવવા માટે ઉપલેટા પંથકમાં ૧૦ કરોડ ૬૦ લાખ રૂપિયા મંજૂર થતાં હવે રસ્તાઓ ઉપર ખાડા નહીં જોવા મળે તેવું લોકો કઇ રહ્યા છે.
આ માહિતી આપતા ઉ૫લેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાએ જણાવેલ કે ઉપલેટા તાલુકાના પ્રવાસ દરમિયાન પ્રાંસલા, પાનેલી, લાઠ, ભીમોરા અને જમનાવડના લોકો દ્રારા રોડ રસ્તા પ્રશ્ને ઘણી ફરિયાદો મળેલ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ મળી આ રોડ રસ્તા વિશે વિસ્તૃત ચર્ચા કરી યોગ્ય કરવા માગણી કરેલ હતી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગ્રામજનોની રજૂઆતો સ્વીકાર કરી ગઇકાલે આ પાંચ રોડ રસ્તા માટે ૧૦ કરોડ ૬ લાખ રૂપિયા મંજુર કરતા આગામી દિવસોમાં આ રોડના કામો તાત્કાલીક ધોરણે શરૂ કરવામાં આવશે જે પાંચ રોડો મંજુર થયેલ છે તેમાં પ્રાસલા પરડવા રોડ લંબાઇ ૩.૨૦ કી.મી. ૨ કરોડ ૫૦ લાખ, પાનેલી ગામ કાળવા ચોકથી માંડાસણ જવાના રસ્તે સી.સી. રોડ તથા પેવર બ્લોક લંબાઇ ૦.૪૫ કી.મી. ૬૫ લાખ, લાઠ એપ્રોઝ રોડ ૦.૩૦ કી.મી. એક કરોડ ૩૦ લાખ, ભિમોરા એપ્રોઝ રોડ ૦.૨૫ કી.મી. એક કરોડને ૧૫ લાખ અને જમનાવાડ ભોળા રોડ ૪ કી.મી. માટે ૫ કરોડ સાથે ૧૦ કરોડને ૬૦ લાખ મંજુર કરવામાં આવેલ છે.
આ રોડ રસ્તા મંજુર કરાવવામાં કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરવામાં સહયોગ મળ્યો હતો અને ઉપલેટા–ધોરાજી વિધાનસભાના મત વિસ્તાર વતી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માનેલ તેમ અંતમાં ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાએ જણાવેલ છે


મુખ્યમંત્રીનો આભાર માનતાં ડો.માંડવિયા અને ડો.પાડલિયા
ઉપલેટા તાલુકાના લાઠ અને ભીમોરા ગામ વર્ષેાથી ચોમાસાની સિઝન દરમિયાન સંપર્ક વિહોણા બનતા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા અને સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયાને રજુઆત કરતા ડો. પાડલીયા અને સાંસદ ડો. માંડવિયા દ્રારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા મુખ્યમંત્રીએ લાઠ, ભીમોરા એપ્રોચ રોડ સહિત જમનાવડ–ભોળા અને પ્રાસલા–પરવડા રોડ નોન–પ્લાન રોડ સહિત પાનેલી મોટી ગામે સુવિધાપથના પિયા ૧૦.૬૦ કરોડ મંજુર કરી આપેલ માટે ધોરાજી–ઉપલેટાના પ્રજાજનો વતિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધોરાજી–ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયાએ માન્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application