દાંડી હનુમાન ખાતે હનુમાન જયંતીનું ભવ્ય આયોજન

  • April 05, 2023 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગલા આરતી, ઘ્વજારોહણ, અન્નકોટ, સમુહ પ્રસાદ
બેટ શંખોદ્વારમાં આવેલ આ હનુમાનજીનું મંદિર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજ સાથે બિરાજે છે. સ્થાનિય ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ મંદિરે દર વર્ષે હનુમાજીની જન્મજયંતીના હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે. આવતીકાલે ચૈત્ર પૂર્ણિમાના પવિત્ર દિવસે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી હજારો ભક્તોની ઉપસ્થિતિમાં પરંપરાગત ઉત્સવો સાથે કરવામાં આવનાર હોય વ્યવસ્થા તંત્રની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બે દિવસની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, તા. ૬ એપ્રિલના હનુમાન જયંતીના દિવસે સવારે ૬:૪૩ કલાકે હનુમાનજી મહારાજનો પ્રાગટ્યોત્સવ સાથે મંગલા આરતી પછી સવારે ૧૦ વાગ્યે ધ્વજારોહણ થશે, સવારે ૧૧ વાગ્યે અન્નકોટ દર્શન મનોરથનું આયોજન કરાયું છે, ભક્તગણ માટે ૧ર કલાકથી સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે તારીખ ૭ એપ્રિલના અખંડ રામધૂનની પૂર્ણાહુતિ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application