જે ગ્રામ પંચાયતોની મુદત એક એપ્રિલ ૨૦૨૨ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂરી થતી હોય ત્યાં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવશે. વિસર્જન થયેલી ગ્રામ પંચાયતોમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલી ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજવામાં આવશે. આ ઉપરાંત આ અગાઉ કોઈ ગ્રામ પંચાયતમાં સરપચં સહિત તમામ બેઠકોમાં ઉમેદવારી પત્રો ભરાયેલા ન હોય તેવી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજવામાં આવનારી છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી મતપત્રકોથી યોજવા માટેનો નિર્ણય રાય ચૂંટણી આયોગ દ્રારા લેવામાં આવ્યો છે.
ચૂંટણી આયોગના સચિવ દ્રારા આ સંદર્ભે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને હોદ્દાની એ કલેકટરો તથા તમામ પ્રાંત અધિકારીઓને એક પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટથી યોજવામાં આવશે અને તે માટે જરિયાત મુજબની મત પેટીઓ જિલ્લા અને તાલુકાના સ્ટ્રોંગ મમાં ઉપલબ્ધ હોય તો તે મેળવીને જો રીપેરીંગની જરિયાત હોય તો તાત્કાલિક પૂરી કરવાની રહેશે. આ ઉપરાંત તમામ મત પેટીઓમાં સર્વિસ તથા ઓઇલિંગ કરાવી ચૂંટણીમાં ઉપયોગમાં લઈ શકાય તે માટેની જરી કાર્યવાહી કરવાની રહેશે.
બેલેટથી ચૂંટણી યોજવાની હોવાથી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૭૦ જીએસએમ પ્રકારના સફેદ અને ગુલાબી રંગના મતપત્રકો છાપવાના કાગળ સાથેના છાપકામના ભાવો મેળવી ખાનગી પ્રેસ અને એજન્સીઓ નક્કી કરવા તાત્કાલિક કાર્યવાહી હાથ કરવાની રહેશે.
ઉમેદવારી પત્રો, વૈધાનિક –બિનવૈધાનિક પરબીડીયા, બિનવૈધાનિક ફોમ્ર્સ વગેરે સ્થાનિક કક્ષાએ છપાવીને ઉપયોગમાં લેવા પણ ચૂંટણી આયોગે સૂચના આપી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જરી સ્ટેશનરી સાધન સામગ્રી જે તે જિલ્લાના કલેકટરોએ સ્થાનિક કક્ષાએથી ખરીદી કરવાની રહેશે. ગ્રામ પંચાયતોના મતદાન મથકની વિગતો કલેકટરે ગુજરાત સરકારના વિકાસ કમિશનરને મોકલવાની રહેશે અને મતદાન મથક દીઠ ચૂંટણી માટે થનાર ખર્ચ અનુસંધાને ગ્રાન્ટ મેળવવાની કાર્યવાહી પણ કરવાની રહેશે.
છેલ્લે ડિસેમ્બર ૨૦૨૧માં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી અને તે બાબતને ધ્યાનમાં રાખી એક એપ્રિલ ૨૦૨૨ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું રાય ચૂંટણી આયોગ દ્રારા નજીકના ભવિષ્યમાં બહાર પાડવામાં આવશે અને તે અંગેની તૈયારીઓ ચાલી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech