પોરબંદરમાં રક્ષાબંધન નિમિતે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનુ વિતરણ કરાયું હતુ.શ્રાવણ માસ ને સોમવાર નિમિતે પોરબંદરના જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી તથા શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટનાના સહયોગથી શિવ સ્માઇલ બેંક અંતર્ગત હાલ જે પરિવારો રોડ પર કુબાઓ બાંધીને રહે છે તેને અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને રક્ષાબંધનનો ત્યોહાર છે ત્યારે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા જે પરિવારો ખરેખર જરીયાત વાળા છે તેમને જીવન નિર્વાહ માટે જરી એવા રાશન કીટનુ વિતરણ કર્યું. એ ઉપરાંત માધુરીબેન ગોસ્વામી દ્વારા કાયમી ધોરણે શ્રી શિવશક્તિ અન્નક્ષેત્ર એ ભજન ને ભોજન તો કરાવવામાં જ આવે છે.શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી કે કોઈ પણ સારો તહેવાર હોય સારા દિવસો હોય ત્યારે આપની આજુબાજુમાં જે જરિયાત વાળા લોકો છે તેને મદદ પ થવું જોઈએ. આપની આજુબાજુ જે અબોલ જીવો છે તેને પણ રોટલો,બિસ્કીટ, ઘાસચારો ચારો નાખવો જોઈએ. હાલ શ્રાવણ માસ ચાલુ છે ને આવી કોઇપણ સારા કાર્ય કરશું તો મારો મહાદેવ અવશ્ય રાજી થાશે. કોઈ પણ જીવની સેવા કરો એટલે શિવ આપોઆપ જ રાજી થાય જાય છે. કહેવાય છે ને કે ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ આ સેવાકીય કાર્યો માં શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ભરતગિરી ગોસાઈ, નથુગીરી મેઘનાથી, શિવાંશગિરી ગોસ્વામી એ સહકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech