પોરબંદરમાં રક્ષાબંધનપર્વ નિમિત્તે ઝૂંપડપટ્ટીમાં અનાજકીટનું થયુ વિતરણ

  • August 22, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં રક્ષાબંધન નિમિતે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનુ વિતરણ કરાયું હતુ.શ્રાવણ માસ ને સોમવાર નિમિતે પોરબંદરના જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી તથા શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટનાના સહયોગથી શિવ સ્માઇલ બેંક અંતર્ગત હાલ જે પરિવારો રોડ પર કુબાઓ બાંધીને રહે છે તેને અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને રક્ષાબંધનનો ત્યોહાર છે ત્યારે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા જે પરિવારો ખરેખર જ‚રીયાત વાળા છે તેમને જીવન નિર્વાહ માટે જ‚રી એવા રાશન કીટનુ વિતરણ કર્યું. એ ઉપરાંત માધુરીબેન ગોસ્વામી દ્વારા કાયમી ધોરણે શ્રી શિવશક્તિ અન્નક્ષેત્ર એ ભજન ને ભોજન તો કરાવવામાં જ આવે છે.શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી કે કોઈ પણ સારો તહેવાર હોય સારા દિવસો હોય ત્યારે આપની આજુબાજુમાં જે જ‚રિયાત વાળા લોકો છે તેને મદદ ‚પ થવું જોઈએ. આપની આજુબાજુ જે અબોલ જીવો છે તેને પણ રોટલો,બિસ્કીટ, ઘાસચારો ચારો નાખવો જોઈએ. હાલ શ્રાવણ માસ ચાલુ છે ને આવી કોઇપણ સારા કાર્ય કરશું તો મારો મહાદેવ અવશ્ય રાજી થાશે. કોઈ પણ જીવની સેવા કરો એટલે શિવ આપોઆપ જ રાજી થાય જાય છે. કહેવાય છે ને કે ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ આ સેવાકીય કાર્યો માં શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ભરતગિરી ગોસાઈ, નથુગીરી મેઘનાથી, શિવાંશગિરી ગોસ્વામી એ સહકાર આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application