ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્ર મુજબ, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ ના નિધનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ નિર્ણયને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટીએ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર ૨૯મો પદવીદાન સમારોહ હાલ પૂરતો મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.
યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, નવા ક્યા સમયે પદવીદાન સમારોહ યોજાશે, તે અંગેની જાણકારી વિદ્યાર્થીઓ અને અન્ય સંબંધિત પક્ષોને બાદમાં આપવામાં આવશે.
આ નિર્ણય પાછળનું કારણ એ છે કે, દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનના અવસાનને પગલે દેશમાં શોકનું વાતાવરણ છે. આવા સંજોગોમાં પદવીદાન સમારોહ જેવો ઉજવણીનો કાર્યક્રમ યોજવો યોગ્ય નથી. યુનિવર્સિટીએ આ નિર્ણય સહકારથી સ્વીકારવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech