રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથની મુલાકાત લેશે

  • February 08, 2024 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ તેમજ સખી, મહિલા, શિક્ષક અને યોગ શિક્ષકના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી.

કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યક્રમનું સુચારુ અને સુનિયોજીત આયોજન થાય અને કાર્યક્રમના સ્થળે તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે અંગે માર્ગદર્શિત કર્યા હતાં. કલેક્ટરએ ડાયસ પ્લાન, મિનિટ ટૂ મિનિટ તેમજ પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન, ફાયર ફાઈટર, વીજ પુરવઠો જાળવવા બાબતે તેમજ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સહિત પ્રોટોકોલ મુજબ કામગીરી કરવા અંગે શીર્ષ અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતાં.

જ્યારે અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ મિટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શના ભગલાણી, જિલ્લા  ખેતીવાડી અધિકારી એચ.જી.લાલવાણી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી ડી.એસ.ગઢિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી રજિસ્ટ્રાર દશરથ જાદવ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application