સંવિધાનનો અમૃત મહોત્સવ અને આપતકાલના ૫૦ વર્ષ, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ ની જન્મ જયંતી, ભગવાન બિરસા મુંડાની ૧૫૦ ની જયંતિ અને અટલબિહારી વાજપેયીના ૧૦૦ માં જન્મ જયંતિ ની ઉજવણી માટે સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ ૨૦૨૫ માં સીમા સિમાચિન્હરૂપ જન્મોત્સવ ઉજવણીના કાર્યક્રમ માટે સ્ટીયરીંગ કમિટી અને એકિઝકયુટિવ કમિટીની રચના કરવામાં આવી છે.
સ્ટીયરિંગ કમિટીના ચેરમેન તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૮ સભ્યોની આ કમિટીમાં કેબિનેટ મંત્રીઓ ઋષિકેશભાઇ પટેલ રાઘવજીભાઈ પટેલ બલવંતસિંહ રાજપુત કુંવરજીભાઈ બાવળીયા મૂળુભાઈ બેરા કુબેરભાઈ ડીંડોર ભાનુબેન બાબરીયા હર્ષભાઈ સંઘવી જગદીશભાઈ વિશ્વકર્મા પરષોત્તમભાઈ સોલંકી બચુભાઈ ખાબડ મુકેશભાઈ પટેલ પ્રફુલભાઈ પાનસેરીયા ભીખુસિંહ પરમાર કુવરજીભાઈ હળપતિનો સમાવેશ કરાયો છે. યારે અધિકારીઓમાં મુખ્ય સચિવ રાજકુમાર ઉપરાંત પંકજ જોશી સુનયના તોમર કમલ દયાની એમ. કે. દાસ જે.પી.ગુા મુકેશકુમાર અશ્વિનીકુમાર મોહમ્મદ શાહિદ હારીત શુકલા અને અવંતિકા સિંઘને લેવાયા છે.
એકઝીકયુટીવ કમિટીના ચેરમેન તરીકે મુખ્ય સચિવ રાજકુમારની નિયુકિત કરવામાં આવી છે અને બાકીના સ્ટીયરીંગ કમિટીના સભ્યો ઉપરાંત આલોક પાંડે સુપ્રીતસિંહ ગુલાટી કે. એલ. બચાણી ભવ્ય વર્મા દિનેશ રમેશ અને જવલતં ત્રિવેદી સહિત ૧૭ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સબ કમિટીઓની પણ રચના કરવામાં આવી છે અને તેના નોડલ ઓફિસર તરીકે અશ્વિની કુમારને જવાબદારી સોંપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech