ગોંડલ સરકારી હોસ્પિટલ નવસર્જન સો ૧૫૦ બેડની સુવિધાઓ આપવામાં આવી છે.આ હોસ્પિટલમાં લોકોને ઘટતી સુવિધાઓ સામે સનિક રાજકારણીઓ સરકારી હોસ્પિટલની સુવિધાઓ સામે આંખ આડા કાન કરી રહ્યા છે.ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર ર્એ આવતાં દર્દીઓને મોટાભાગે રાજકોટ રીફર કરવામાં આવે છે. અકસ્માતના બનાવોમાં મોટાભાગે રાજકોટ વધુ સારવાર ર્એ ખસેડવામાં આવે છે. મોતને ભેટેલા મૃતકોને પી.એમ.માટે ફોરેન્સિકના બહાના હેઠળ પણ રીફર કરવામાં આવે છે. અકસ્માતમાં ધવાયેલા જીવતા દર્દીઓની સો મૃત્યુ પામેલા મૃતકોને પણ રઝળાવવામા આવે તેવા કિસ્સાઓ પણ ઉજાગર યા છે. ડોકટરોની આવી દાનતને લઈને પરિવારજનો અને પોલીસ બન્ને વગર કારણે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે.
આ ઉપરાંત ફરજ પરના તબીબોને સંતોષ ન હોય તેમ અમુક બનાવોમાં મૃત્યુ પામેલાના સ્વજનોને સાચું કારણ જાણવા માટે મૃતકોનાં વિસેરા લેવામાં આવે છે.પરંતુ હોસ્પિટલમાં પીએમ ર્એ આવેલા મૃતદેહોના મૃત્યુ બાદ પણ ડોકટરો મુક્તિ આપવા ન ઈચ્છતા હોય તેમ લેવામાં આવેલ વિસેરા પણ ધુળ ખાઈ છે.જેમને કારણે મૃત્યુનું કારણ પણ સ્વજનોને જાણવામાં વિલંબ ાય છે. અમુક કિસ્સામાં જે લોકોને જ્ઞાન ની તેવાં દર્દીઓના સ્વજનો તબીબોના માર્ગદર્શન મુજબ નિર્ણય કરતાં હોય છે મૃતદેહનું પીએમ ક્યાં કરવું પરંતુ અહીતો ફોરકલાસ કામગીરી કરતા ડોકટરોને સલાહ આપે છે અને ડોક્ટરને પણ અનુભવ ન હોય તેમ તેમની સલાહ મુજબ કામગીરી કરતા હોવાનું બે ધડક કહે છે.ડોકટરો પોતાની નિષ્ઠ ાપૂર્વક ફરજ બજાવવાને બદલે જવાબદારીી હા ખંખેરવાની વેતરણમાં હોય છે.
સરકારી હોસ્પિટલમાં રાત્રીના સમયે સારવાર ર્એ આવતાં દર્દીઓ હડધૂત તા હોવાનું પણ લોકોમાં બોલાઈ રહ્યું છે. પ્રસુતિ વિભાગમાં પણ જવાબદારીી ભાગતા હોય તેમ પ્રસુતાની પીડા સો સગાંસંબંધીઓ પણ હેરાન ાય છે.આવા કિસ્સાઓમાં રીફર કરવાની જરૂરિયાત ન હોય તો પણ રીફર કરે છે.અમુક કિસ્સામાં તો ગોંડલ બહાર નિકળેએ પહેલાં ડીલેવરી ઈ જતી હોવાનાં કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.ત્યારે આવી પ્રસુતા મહિલાઓની પીડા કોણ સમજી શકશે તેવા સવાલો અહી પણ ઉઠવા પામ્યા છે.
જ્યારે અમુક બનાવોમાં દર્દીનું મૃત્યુ યું હોય અને તબીબ જાણતા હોવા છતાં હોસ્પિટલમાં ઈસુઝ (કાર્ડિયો ગ્રામ) કાઢીને મૃત્યુ અંગે ખરાઈ કરવાને બદલે મૃતદેહને પણ રીફર કરવાનાં બનાવો બની રહ્યા છે.આવું કૃત્ય કરવાી ફરજ બજાવતા ડોક્ટરને પીએમ કરવું ન પડે અને પોલીસ કાર્યવાહીી દુર રહે માટે જાણી જોઈને આવું કરે છે. હોસ્પિટલમાં સારવારમાં ખોરા ટોપરા જેવી દાનત ધરાવતા ડોક્ટરોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાઠ ભણાવવામાં આવે તેવી માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરૂએ માગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech