એરફોર્સ વિસ્તારમાં મકાનમાંથી ૧.૩૦ લાખના સોના - ચાંદીની ચોરી

  • April 02, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર એરફોર્સ નાં પ્રતિબંધિત વિસ્તારમાં એક બંધ રહેણાક  મકાન માંથી કોઈ તસ્કરો રૂ.૧ લાખ ૩૦ હજાર ની કિંમતના સોના-ચાંદીની ચોરી કરી લઇ ગયા હતા.  આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસ કાફલો તપાસ અર્થે  દોડી ગયો હતો.

જામનગરના એરફોર્સમા ફરજ બજાવતા અને એરફોર્સ-૧ ઓલ્ડ પ્રોજેકટ લાઇન બ્લોક નં. ૪૭૦/૩ ખાતે કવાટરમાં રહેતા અભયપ્રતાપસિંગ રવીન્દ્રનથસિંગનાં બંધ રહેણાક મકાન માંથી કોઈ તસ્કરો રૂ.૧ લાખ ૩૦ હજાર ની કિંમત નાં સોના ચાંદી નાં ઘરેણા તથા ચાંદીની બે પાટની ચોરી કરી લઇ ગયા હતા.

મૂળ ઉત્તર પ્રદેશનાં વતની એવા એરફોર્સ કર્મી ગત તા.૨૪-૨-૨૪ના ઘર ને તાળા મારી ને  વતનમા ગયા હતા અને તા.૩૧ના પરત ફર્યા હતા.ત્યારે તેમને પોતા નાં ઘર નાં તાળા તૂટેલા જોવા મળતા તેઓ એ તુરતજ પોલીસમાં પોલીસ મા ફરિયાદ નોંધાવતા પો.સબ.ઈન્સ. એચ વી. પીપળીયા એ તપાસ હાથ ધરી છે. એરફોર્સ  નો વિસ્તાર પ્રતિબંધિત છે. દરમ્યાનમાં ચોરીનો બનાવ સામે આવતા ચર્ચા જાગી છે. પોલીસ દ્વારા વિગતોના આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. 
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application