તેલંગાણાના ગોશામહલ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ ફરી એકવાર તેમના ભડકાઉ નિવેદનને કારણે ચચર્મિાં છે. એક સભાને સંબોધતી વખતે, તેમણે સંગમ શહેરમાં ચાલી રહેલા મહાકુંભ અને નાગા સાધુને માત્ર 15 મિનીટ આપો એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
ભાજપ્ના ધારાસભ્ય રાજા સિંહે કહ્યું, તમે લોકો અમને શું કહી રહ્યા છો, અમને 15 મિનિટ આપો અને પોલીસને હટાવો. 100 કરોડ હિન્દુઓને મારી નાખવાની વાત કરનારાઓ, આજે ઉત્તર પ્રદેશમાં મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યાં કરોડો હિન્દુઓ જાય છે અને પવિત્ર નદીમાં સ્નાન કરે છે. આ દરમિયાન તેમણે નાગા સાધુઓનો ઉલ્લેખ કરીને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના મુસ્લિમોને ધમકી આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેર કર્યો. તે વીડિયોમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, નાગા સાધુઓનો ઇતિહાસ એવો છે કે તેઓ ક્યારેય જાહેરમાં આવતા નથી, તેઓ ફક્ત કુંભ દરમિયાન જ આવે છે. જો તમે તેમના ઇતિહાસ પર નજર નાખો, તો જ્યારે પણ સનાતન પર સંકટ આવ્યું, ત્યારે એ જ નાગા સાધુઓએ તલવાર ઉપાડી, ભલા ઉઠાવ્યા. અકબરુદ્દીન ઓવૈસીના એક જૂના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, જો અમારા નાગા સાધુઓને હૈદરાબાદ મોકલીશું, તો 15 મિનિટ બોલનારા પાકિસ્તાન જતા રહેશે. હિન્દુઓ સાથે ટક્કર ન લો, ઇતિહાસ ત્યારે જ લખાય છે જ્યારે હિન્દુઓ ઉભા થયા હોય.
ઉલ્લેખનીય છે કે તેલંગાણાના ચંદ્રયાનગુટ્ટાના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ વર્ષ 2012માં 15 મિનિટનું ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતમાં અમે 25 કરોડ લોકો છીએ, તમે 100 કરોડ લોકો છો, ઠીક છે, તમે અમારા કરતા ઘણા વધારે છો, 15 મિનિટ માટે પોલીસને હટાવો અને અમે તમને કહીશું કે કોની પાસે હિંમત છે અને કોણ શક્તિશાળી છે. આ નિવેદનોને કારણે, તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમને જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કોર્ટે ઓવૈસીને શંકાનો લાભ આપ્યો, એટલે કે, તેમને શંકાના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech