ગીરસોમનાથઃ સૂત્રાપાડાના ધામળેજ નજીક દરિયા કિનારેથી બિનવારસી ચરસના 9 પેકેટ મળ્યા

  • August 01, 2024 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ફરી એકવાર બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સૂત્રાપાડાના ધામળેજ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે.


વિગતવાર વાત કરીએ તો ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામળેજ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી ચરસના 9 પેકેટ મળી આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ મળી આવે છે. આવા બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. 


ચાર કરોડની કિંમતનું ચરસ 

દરિયાકાંઠેથી બિનવારસી મળી આવેલા 9 ચરસના પેકેટની અંદાજીત કિંમની વાત કરીએ તો આશરે 4 કરોડની કિંમતનું ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા આ બિનવારસી ચરસના પેકેટ કબજે કરી લેવામાં આવ્યા છે. હાલ તો FSLની તપાસ અર્થે કામગીરી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application