દુષ્કર્મનો ભોગ બનેલી ગોંડલ પંથકની યુવતીએ જેતપુર ડીવાયએસપી કચેરીએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ તેની ફરિયાદ લેવામાં આવી હતી.પરંતુ આ ગુનામાં પોલીસ આરોપી સામે કડક કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સાથે યુવતીએ ન્યાય માટે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.સાથોસાથ જો તેને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગોંડલ પંથકની યુવતીએ મુખ્યમંત્રી સહિત રજૂઆત કરી હતી કે, વિરપુર પોલીસ સ્ટેશનમાં અમારા ઉપર બળાત્કાર, અપહરણ તેમજ ગોંધી રાખી આરોપીઓએ માર મારેલ તેમજ વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાની ફરીયાદ ૮–આરોપીઓ વિધ્ધ કરેલ હતી. ત્યાર બાદ આરોપીઓએ અમોને વિરપુર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ડરાવી ઘમકાવી અમો તથા અમોના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોલીસ સ્ટેશનમાં તેઓના કહ્યા મુજબ સહિ કરી આપવા દબાણ કરેલ, અને ઉપરોકત જણાવેલ ફરીયાદમાં આરોપી ગીતાબેન વિરપુર પોલીસ સ્ટેશનમાં અમોને કહેલ કે, પોલીસ મારા મિત્રો છે હત્પં દા વેહેચું, હા ભ છું હત્પં પોલીસને જેમ કહીશ તેમ પોલીસ કરશે, તુ બહત્પ હોશીયારી ન મારતી તા અહિં કાંઈ નહિં આવે જે બાદ થોડીવારમાં વિરપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તથા જે.બી.ચૌહાણનાઓ પોલીસ સ્ટેશનની બહાર આવેલા જયાં ગીતાબેને બંને પોલીસ અધિકારીઓને રૂપિયા દશ હજાર લાંચ પેટે રોકડા આપેલા અને બંને પોલીસે મને કહેલ કે આમા કઈં કરવાનું ન હોય આ કામમાં અમે કહિએ ત્યાં સહિ કરી સમાધાન કરી નાખજે.
યુવતીએ અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ અમો વીરપુર પોલીસ સ્ટેશનમાં ગયેલા, જયાં પી. આઈ. ના રાઈટર વિજયભાઈ ગોહેલ તથા જે.બી.ચૌહાણે કહેલ કે, બનાવ અહિં બનેલ નથી જેથી ગુન્હો અહિંયા દાખલ નહિં થાય, આ કામમાં સમાધાન કરી લ્યો, તમે ગમે ત્યાં જાવ તમારાથી કશુજ નહિં થાય, જે બાદ અમો માનસીક તથા શારીરીક રીતે કંટાળી જઈને વિરપુર પોલીસ સ્ટેશન, જુનાગઢ ડીવીઝન કચેરી, જેતપુર ડી.વાય.એસ.પી.કચેરી, રાજકોટ એસ.પી. કચેરી, જિલ્લા કલેકટર કચેરી, રેન્જ આઈ.જી. કચેરી, રાજકોટ વગેરે જગ્યાએ ધકકા ખાઈ હારી જઈ છેવટે આપ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અરજી કરી હતી જુનાગઢ તથા રાજકોટના ઉચ્ચ અધિકારીઓ અમારી ફરીયાદ નહિં નોંધે તો આત્મવિલોપન કરીશું તેવી ચિમકી આપી હતી.
જે બાદ પણ અમોની ફરીયાદ ન નોંધાતા આરોપીઓ વિધ્ધ પોલીસ ગુન્હો દાખલ ન કરતાં જેથી તા.૦૪૦૧૨૦૨૫ ના રોજ જેતપુર ડી.વાય.એસ.પી. કચેરીમાં જઈને જેરી દવા પીઈને આત્મ વિલોપન કરતાં જેતપુર ડી.વાય.એસ.પી. કચેરીમાં હોસ્પિટલે જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા ન હોય જેથી અમોનો પરીવાર વાહન બોલાવી અને જેતપુર હોસ્પિટલે લઈ ગયેલા, જયાં એબ્યુલસની સગવડતા ન હોય જેથી અમોના પરીવારે ગોંડલ શિવમ સાર્વજનીક અને ટસ્ટ્રની એબ્યુલસ બોલાવી ડો. સુખવાલા સાહેબ, ગોંડલ ખાતે સારવાર માટે લઈ ગયેલા. તે ડોકટરે જણાવેલ કે આ સીરીયસ કડીશન છે તેમ રાજકોટ સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જાવ. જેથી અમો ગોંડલ નગરપાલિકાની એબ્યુલસ બોલાવી રાજકોટ સીવીલ હોસ્પિટલમાં લઈ ગયેલા, જે બાદ વિરપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ઉપરોકત જણાવેલ ગુન્હો નંબરની ફરીયાદ દાખલ કરેલ.
આમ અમોની ઉપર બનેલ બનાવ વિષે સમાધાન કરી લેવા અમોને ફરીયાદ દાખલ ન થાય તે માટે અમોને માનસીક ટોર્ચર કરેલ તેમજ પોલીસે દબાવી, ધમકાવી તૈયાર કાગળોમાં અમારી સહિ કરાવી લીધેલ અને પોલીસે પોતાના હોદ્દાનો દુરપયોગ કરી આરોપી પાસેથી લાંચ લઈ આરોપીઓને છાવરેલ અને હજી સુધી આરોપીઓની અટક કે ધરપકડ કરેલ નથી આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે તેઓને કાયદાનો કોઈ ડર નથી. આ બંને પોલીસમેને આરોપી પાસેથી લાંચ લીધેલ હોય જેથી તેને તાત્કાલીક સસ્પેન્ડ કરી તેમની વિધ્ધ ગુન્હો દાખલ કરવાની રજુઆત યુવતીએ કરી હતી.સાથોસાથ આ બાબતે યોગ્ય ન્યાય નહિં મળે મુખ્યમંત્રી નિવાસસ્થાને આવીને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech