નેવી મોડા ગામમાં ઝેરી દવા ગટગટાવી યુવતિનો આપઘાત

  • December 13, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમવાનું બનાવવા બાબતે બોલાચાલીનું મનમાં લાગી આવ્યું

જામનગર નજીક નેવી મોડા ગામમાં આવેલી વાડીએ રહેતા મુળ દાહોદની પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં તેણીનું મૃત્યુ નિપજયું છે, પતિ સાથે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી બાદ લાગી આવતા પગલુ ભરી લીધુ હતું.
મુળ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના નેવી મોડા ગામે કનકભાઇની વાડીએ રહેતા અને ખેતમજુરી કામ કરતા મનિષાબેન સંજયભાઇ નીનામા (ઉ.વ.૨૩) ને તા. ૧૧ના રોજ તેના પતિ સાથે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી-ઝઘડો થયો હતો, જે બાબતનું મનમાં લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી.
આથી તેણીને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી, જયાં સારવારમાં મૃત્યુ નિપજયું છે, આ બનાવ અંગે નેવીમોડા ગામમાં રહેતા સંદિપ નાગજીભાઇ ભુરીયા દ્વારા પંચકોશી-એમાં જાહેર કરવામાં આવતા પોલીસે વિગતોના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
***
નવાનાગનામાં શ્ર્વાસની તકલીફથી પ્રૌઢનું પ્રાણપંખેરુ ઉડયું
જામનગરના નવાનાગના વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢને શ્ર્વાસમાં તકલીફ થતા જી.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.
નવાનાગના વાડી વિસ્તારમાં રહેતા છગનભાઇ ધરમશીભાઇ નકુમ (ઉ.વ.૬૦) નામના સતવારા પ્રૌઢને ગઇકાલે શ્ર્વાસમાં તકલીફ થતા અત્રેની જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે ઉમેદ છગનભાઇ દ્વારા બેડી મરીન પોલીસમાં જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application